Posts

Showing posts from June, 2009

પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં

આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે

આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ

રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે. દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો

વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!

Image
ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (બાજુનો ફોટો) જૂન ૭ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મી ડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે. આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ. કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ

જ્ઞાનવિજ્ઞાનના વાચસ્પતિ રવજીભાઇ સાવલિયા (જૂન ૧, ૧૯૪૬--જૂન ૬, ૨૦૦૭)

Image
ભણ્યા વિના કોઇનો ઉદ્ધાર નથી, પરંતુ માત્ર ભણતરથી કોઇનો ઉદ્ધાર થતો નથી એ પણ હકીકત છે. જીવનમાં કોઠાસૂઝ, ગ ણતર અને આત્મવિશ્વાસ ભણતર કરતાંય વધુ જરૂરી છે. આ વાતની તાદ્રશ પ્રતીતિ જેમણે વખતોવખત કરાવી તે રવજીભાઇ સાવલિયાની આજે બીજી પૃણ્યતિથિ છે. માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા છતાં ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જીવજગત, ઇતિહાસ, ધર્મપુરાણો, ફિલોસોફી વગેરે જેવા અનેકવિધ વિષયો પર તેઓ ટુ-ધ-પોઇન્ટ તેમજ ક્યારેક જે તે વિષયના તજજ્ઞને ઝાંખા પાડી દે તેટલું જ્ઞાન ધરાવતા હતા. આ જ્ઞાનીપુરુષનું ટૂંકું છતાં નવી પેઢી માટે પ્રેરણાદાયક જીવનચરિત્ર આજથી બે વર્ષ પહેલાં ‘સફારી’માં સંપાદકના પત્ર હેઠળ લખ્યું હતું, જેને અહીં બ્લોગના વાચકો માટે ફરી રજૂ કરૂં છું. --------- ગુજરાતની એક સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે થોડા વખત પહેલાં સામાન્ય જ્ઞાનની જાહેર પ્રશ્નોત્તરી યોજાઇ. વિદ્યાર્થીઓ જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછતા ગયા અને તેમની સામે બિરાજેલા વિદ્વાન દરેક સવાલના મુ દ્દાસર અને સંતોષકારક જવાબ આપતા રહ્યા. લાંબી ચર્ચા થઇ એ પછી એક વિદ્યાર્થીએ સવાલ કર્યો--‘સાહેબ, તમે કેટલું ભણ્યા છો ?’ ‘કંઇ જ

સંપાદકનો પત્ર

'સફારી' June, 2009 તાકીદે જોઇએ છે--ભારતનું ભાવિ બદલી શકતું નવું રાજ્યબંધારણ આજથી ૬૨ વર્ષ પહેલાં લગભગ પ૬પ દેશી રાજરજવાડાંને એક ગાંસડે બાંધીને ભારત નામના અખંડ દેશનું સર્જન કરવામાં આવ્યું હતું. નાના-મોટા રાજ-રાજવીઓ સાથે રાજકીય વાટાઘાટો કરવામાં આશરે ૭૩ દિવસ વીતાવ્યા બાદ સરદાર પટેલે પ૬પ ચિભડાંનો સંયુક્ત ભારો બાંધ્યો ત્યારે જઇને ભારતમાં લોકશાહી સ્થપાઇ અને લોકશાહીની લગામ દેશના વડા પ્રધાન પંડિત નેહરુને સોંપવામાં આવી. બાંસઠ વર્ષ પછી આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. અલબત્ત, સહેજ જુદી રીતે. રાજરજવાડાં નહિ, પણ કુલ ૧૬ રાજકીય પક્ષો એક ગાંસડીએ બંધાયા છે. યુ.પી.એ. નામની તે ગાંસડી ફરી વડા પ્રધાન મનમોહન સિંહના કાંધે નાખવામાં આવી છે. આ પુનરાવર્તન જો કે પહેલી વારનું નથી. કેન્દ્રમાં ભેલપૂરી જેવી મિશ્ર સરકારો આપણને છેલ્લાં કેટલાંય વર્ષથી મળતી રહી છે. આ વખતે પણ મળી તેનું કારણ એ કે ભારતીય રાજ્યબંધારણના ખાટલે જ ખોડ રહી જવા પામી છે. જાન્યુઆરી ૨૬, ૧૯પ૦ના રોજ અમલી બનેલું રાજ્યબંધારણ આજના (તેમજ આવતી કાલના) અનિશ્ચિત તેમજ અસ્થિર રાજકીય સંજોગો વચ્ચે ધાર્યું કામ આપી શકે તેમ નથી. બ્રિટિશ સંસદીય લોકશાહીનું બંધ