Posts

Showing posts from February, 2010

સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપતો કાર્યક્રમ

વિજ્ઞાનમાં આગળ પડતું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને તેમજ વિજ્ઞાનને પોતાની કલમ વડે લોકભોગ્ય બનાવનાર લેખકોને અંજલિ આપતો ‘શતાબ્દિવંદના’ નામનો કાર્યક્રમ બોરિવલી એજ્યુકેશન સોસાયટીનું પાસ્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશન ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ ના રોજ મુંબઇમાં બોરિવલી ખાતે યોજી રહ્યું છે. જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર સરળ તેમજ રસાળ શૈલીમાં માહિતીલેખો વડે ગુજરાતી વાચકો સમક્ષ જ્ઞાનનો અઢળક ખજાનો રજૂ કરનાર લેખક વિજયગુપ્ત મૌર્ય ને તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ‘શતાબ્દિવંદના’ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિજયગુપ્ત મૌર્યના કલમવારસ તેમજ ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તારીખઃ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ કાર્યક્રમનો સમયઃ સવારે ૧૦ થી ૧ સ્થળઃ નેત્રમંદિર હોલ, ચોથો માળ, મેડોના કોલોની, સરદાર પટેલ રોડ, ભગવતી હોસ્પિટલ પછીની ગલી, બોરિવલી (પશ્ચિમ). મુંબઈ.

'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ

સંપાદકનો પત્ર 'Safari' February, 2010 ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે ‘ગ્રેજ્યુએટ’ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની ‘ડિગ્રી ડ્રિવન’ સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂં