Posts

Showing posts from September, 2015

સ‌િત્તેર વર્ષ પહેલાં વ‌િશ્વયુદ્ધમાં હારેલા જાપાને વ‌િશ્વબજારને શી રીતે જીત્યું ?

Image
તારીખ ૧૬મી ઓગસ્ટ હતી અને વર્ષ ૧૯૪૫નું હતું. દિવસ જે હોય તે ખરો, પણ જાપાનના ભવિષ્ય માટે તે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાનો હતો. બપોરના સમયે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના એક જર્જરિત મકાનમાં ભેગા મળ્યા. મીટિંગનો અજેન્ડા સ્પષ્ટ હતો ઃ આર્થિક રીતે ભાંગી પડેલા જાપાનના અર્થતંત્રને ફરી બેઠું કેમ કરવું ? સપ્ટેમ્બર, ૧૯૩૯થી શરૂ કરીને ઓગસ્ટ, ૧૯૪પ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રરાષ્ટ્રોના ભીષણ અને ભસ્માસુર બોમ્બમારાએ જાપાનને મોટા ભંગારવાડામાં પલટી નાખ્યું હતું. યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નષ્ટ પામી હતી. અડધોઅડધ ઔદ્યોગિક એકમોનું હવે અસ્તિત્વ રહ્યું ન હતું. બોમ્બવર્ષાએ તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જ્યારે હિરોશીમા અને નાગાસાકી સમેત કુલ ૬૭ જાપાની શહેરોનો તો વધુઓછે અંશે સફાયો કરી દીધો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લાખો જણા પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો ત