...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)

શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે.

આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી--

(૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા.

(૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધીમાં વસાવવાં.

(૩) અંગ્રેજીની તાલીમ આપતાં કાર્યક્રમો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગર ખાતેથી વાયા એજ્યુસેટ સામટી ૨૨,૦૦૦ સ્કૂલોમાં દર્શાવવાં.

અંગ્રેજી પર સરકારે વિશેષ ભાર મૂક્યો છે, કેમ કે આવતી કાલના ગ્લોબલાઇઝેશનના જમાનામાં અંગ્રેજી વિના ચાલવાનું નથી. અંગ્રેજી સિવાયનાં વિષયો વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવવા તેનો ફોડ હજી રાજ્ય સરકારે પાડ્યો નથી. આમ છતાં રૂા.૬૦૦ કરોડનો પાયલટ પ્રોજેક્ટ જો રંગેચંગે પાર પડ્યો તો સરકારી સ્કૂલોમાં તૈયાર થનારી નવી પેઢી કંઇક હટ કર હશે તેમાં બેમત નહિ. ડૉ. અબ્દુલ કલામે કહ્યું છે તેમ ભારતનું ભાવિ સ્કૂલો-કોલેજોના ક્લાસરૂમમાં નક્કી થતું હોય છે. રૂપિયા છસ્સો કરોડનું આંધણ મૂકીને ગુજરાત સરકાર જો ગુજરાતનું ભાવિ બદલવામાં સફળ થાય તો સમજવું કે ૬૦૦ કરોડનું મૂડીરોકાણ ઊગી નીકળ્યું!

Comments

  1. Gujarat government is going for a nice step forward.We hope they learn faster than the student(pun intended).
    Anyway, in India it is always welcome for anything which is late...hoping that it is better than nothing happening. Hope people do not try to look for something to hit govt for this and allow it to develop into a nice medium for education (recall the exams with text-book case!!)

    ReplyDelete
  2. ગુજરાત સરકારનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય છે. પરંતુ તેને સાકાર કરવાની પ્રતીબધ્ધતા શીક્ષકોમાં હોવી જરુરી છે.

    ReplyDelete
  3. BUT ............
    One can not learn as EFFECTIVLY as The REAL class from infront of teacher.........
    & WHAT about the question rises in one's mind???

    plz reply
    thank you.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya