Posts

Showing posts with the label Vijaygupt Maurya

ફરી આવી ચૂક્યું છે... હાથીનું ટોળું !

Image
વિજયગુપ્ત મૌર્યનાં બેસ્ટ સેલર પુસ્તકો ‘શેરખાન’ અને ‘કપિનાં પરાક્રમો’ ફરી નવા સ્વરૂપે મુદ્રિત કર્યા બાદ બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું તેમનું વધુ એક પુસ્તક ‘હાથીના ટોળામાં’ અઢી દાયકે આજે ફરી પ્રગટ થયું છે. ‘હાથીના ટોળા’માં કુલ ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલી સળંગ વારતા છે, જેમાં આસામના જંગલોની, ત્યાંના હાથીઓની તેમજ હાથીઓ વિરુદ્ધ માનવજાતના ‘સાયલેન્ટ’ યુદ્ધની વાત આવે છે. આ વારતા લખતાં પહેલાં વિજયગુપ્ત મૌર્યએ આસામનાં જંગલોમાં અનેક દિવસો વીતાવ્યા હતા. દૂરદરાજના વનપ્રદેશોમાં તેઓ ગજરાજ પર બેસીને કલાકોના કલાકો ફર્યા હતા અને આસામની જીવસૃષ્ટિને બહુ નજીકથી તેમણે પોતાની અભ્યાસુ નજરે નિહાળી હતી. આ જાતઅનુભવે તેમને કલમ દ્વારા જે કૃતિ રચવાની પ્રેરણા આપી તે કૃતિ એટલે ‘હાથીના ટોળા’માં ! વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવાની એક મજા છેઃ ‘સફારી’ના લેખન-સંપાદન દરમ્યાન ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ટેક્નોલોજિ વગેરે જેવાં ધરખમ વિષયો સાથે સતત કામ પાડવાનું થતું હોય છે. મગજનો બરાબર કસ કાઢી લેતાં આવાં વિષયો વચ્ચે વિજયગુપ્ત મૌર્યની એકાદ જંગલકથાના (આંશિક) સંપાદનનો તેમજ સંપૂર...

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન

Image
વિજયગુપ્ત મૌર્ય! આ નામ પડે એટલે ‘જ્ઞાનવિજ્ઞાન’ શબ્દનો ઝબકારો મગજના અજ્ઞાત ખૂણે આપમેળે થયા વિના ન રહે. પત્રકારત્વમાં પોતાની ૪૬ વર્ષ લાંબી અર્થપૂર્ણ કારકિર્દી દરમ્યાન વિજયગુપ્ત મૌર્યએ જીવજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, સમુદ્રસૃષ્ટિ, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિવિધ વિષયો પર વૈવિધ્યપૂર્ણ લેખો વડે ગુજરાતી વાચકોને અદ્ભુત જ્ઞાનસફર કરાવી છે. વિજયગુપ્ત મૌર્યના લેખનનું સૌથી નોખું પાસું તેમની બેજોડ શિકારકથાઓ તેમજ જંગલકથાઓ હતી. વાર્તાના બહાને બાળકોને વનસૃષ્ટિનો અને વન્યજીવોનો રસપ્રદ પરિચય કરાવવામાં તેમની કલમનો જોટો ન હતો. આ સિદ્ધહસ્ત લેખકની રસાળ અને કસાયેલી કલમે લખાયેલાં જંગલકથાનાં સંખ્યબંધ પુસ્તકો પૈકી ‘શેરખાન’ માર્ચ, ૨૦૦૯માં તેમની જન્મશાતાબ્દિ નિમિત્તે નવા રૂપરંગ સાથે યુરેનસ બૂક્સ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું હતું. આજે તેમનું બીજું બેસ્ટ સેલર પુસ્તક ‘કપિનાં પરાક્રમો’ અઢી દાયકે પુનઃમુદ્રણ પામ્યું છે. આ પુસ્તકનો હિરો કપિ નામનો વાંદરો છે, જે પોતાનાં સાહસો વડે તેની વાનરસેનાને મોતના મુખમાંથી ઉગારે છે. આ કથા તેનાં પરાક્રમોની છે, જે વાંચતી વખતે મનોરંજન મળવા ઉપરાંત જંગલસૃષ્ટિનો મસ્ત પરિચય ...

સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપતો કાર્યક્રમ

વિજ્ઞાનમાં આગળ પડતું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને તેમજ વિજ્ઞાનને પોતાની કલમ વડે લોકભોગ્ય બનાવનાર લેખકોને અંજલિ આપતો ‘શતાબ્દિવંદના’ નામનો કાર્યક્રમ બોરિવલી એજ્યુકેશન સોસાયટીનું પાસ્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશન ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ ના રોજ મુંબઇમાં બોરિવલી ખાતે યોજી રહ્યું છે. જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર સરળ તેમજ રસાળ શૈલીમાં માહિતીલેખો વડે ગુજરાતી વાચકો સમક્ષ જ્ઞાનનો અઢળક ખજાનો રજૂ કરનાર લેખક વિજયગુપ્ત મૌર્ય ને તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ‘શતાબ્દિવંદના’ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિજયગુપ્ત મૌર્યના કલમવારસ તેમજ ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તારીખઃ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ કાર્યક્રમનો સમયઃ સવારે ૧૦ થી ૧ સ્થળઃ નેત્રમંદિર હોલ, ચોથો માળ, મેડોના કોલોની, સરદાર પટેલ રોડ, ભગવતી હોસ્પિટલ પછીની ગલી, બોરિવલી (પશ્ચિમ). મુંબઈ.

વિજયગુપ્ત મૌર્યનો સ્મરણાંજલિ કાર્યક્રમ--એક અવિસ્મરણીય અનુભવ

કોઇ માણસ લોકપ્રિયતાના ભલે ગમે તેટલા ઊંચા શિખર પાર કરે, પણ સંસારમાંથી તે વિદાય લે ત્યાર બાદ તેને ભૂલી જવાનો માનવસહજ સ્વભાવ છે. પોરબંદરના સાહિત્યપ્રેમી વતનીઓને જો કે એ બાબતે અપવાદ ગણવા રહ્યા, જેમણે પોરબંદરની ધરતી પર માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ જન્મેલા વિજયગુપ્ત મૌર્યને તેમના અવસાનના સત્તર વર્ષે થયે પણ યાદ રાખ્યા છે. આ સદ્ગત લેખકની જન્મશતાબ્દિ નિમિત્તે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્યસમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વિજયગુપ્ત મૌર્યના માનમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં વિજયગુપ્ત મૌર્યને જેમણે નજરોનજર જોયેલા તેવા શ્રી નરોત્તમ પલાણ જેવા પ્રખર વિદ્ધાનોની તથા રામજીભાઇ પા ડ લિયા જેવા સાહિત્યરસિકોની હાજરીએ તેમજ તેમના સંસ્મરણોએ પ્રસંગને સરસ ‘નોસ્ટાલ્જિક ટચ’ આપ્યો. કાર્યક્રમના અન્ય વક્તાઓએ પણ વિજયગુપ્ત મૌર્ય વિશે કેટલીક રસપ્રદ વાતો કરી, જે પૈકી કેટલીક અમારા માટે પણ અજાણી હતી. આખરમાં કેટલાક યુવાન કવિઓએ પોતાની મૌલિક કવિતાઓ રજૂ કરીને પોરબંદરમાં જળવાયેલા સાહિત્યના વારસાનો વખાણવાલાયક પરચો આપ્યો. એકંદરે કાર્યક્રમ સુંદર તેમજ હ્ય્દ...

વિજયગુપ્ત મૌર્યની જન્મ શતાબ્દિ નિમિત્તે પોરબંદરમાં જાહેર સમારંભ

Image
૨૦૦૯નું વર્ષ સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિનું છે. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ તેમનો જન્મ થયો હતો. જરાય પક્ષપાત વિના કે અતિશયોક્તિ વિના એમ કહી શકું કે તેમના જન્મ સાથે પરંપરાગત ગુજરાતી પત્રકારત્વમાં જ્ઞાનવિજ્ઞાનની એક નવી શાખાનો પણ ઉદ્ભવ થયો. વિજયગુપ્ત મૌર્યએ તે શાખા તેમની કલમ વડે ઉભી કરી અને પોતાની ૪૬ વર્ષ લાંબી લેખનયાત્રા દરમ્યાન તે શાખાને વિકસાવી પણ ખરી. પક્ષીજગત, પ્રાણીજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, સમુદ્રસૃષ્ટિ, ઇતિહાસ, પર્યાવરણ, શિકારકથાઓ વગેરે વિવિધ વિષયો પર તેમણે વાચકોને જ્ઞાનસમૃદ્ધ લેખો આપ્યા. સમાજલક્ષી પત્રકારત્વ કોને કહેવાય તેનું ઉમદા ઉદાહરણ તેમણે આપ્યું. વિજયગુપ્ત મૌર્યનું મૂળ વતન પોરબંદર, જ્યાં તેઓ ઉછર્યા, ભણ્યાગણ્યા અને પોરબંદરની કોર્ટમાં મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા. આ સદ્ગત લેખકની જન્મ શતાબ્દિના પ્રસંગે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્ય સમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અહીં નિમંત્રણ પત્રિકાની ઇમેજ મૂકી છે. વિજયગુપ્...

Vijaygupta Maurya

Image
૧૯૦૯--૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ આવે છે...જંગલનો શહેનશાહ ‘શેરખાન’ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ નિમિત્તે તારીખ ૨૬ માર્ચ, ૨૦૦૬ ના રોજ તેમનું બેસ્ટ-સેલર પુસ્તક ‘શેરખાન’ નવા રૂપરંગ સાથે પ્રગટ કરાયું છે. વર્ષો પહેલાં ‘રમકડું’માં હપતાવાર છપાયેલી ‘શેરખાન’ ૧૯૬૫માં પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઇ એ પછી તેની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ ચૂકી છે. આ પુસ્તકનો હીરો ‘શેરખાન’ નામનો વાઘ છે અને વાર્તાનો પ્લોટ હિમાલયનાં જંગલો છે. વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ માત્ર વાર્તા નહિ, જ્ઞાનનો પણ અજોડ ભંડાર છે. વાર્તા સાથે જ્ઞાનનું મિશ્રણ કેટલું મજેદાર રીતે કરી શકાય તેનું પણ અજોડ દ્રષ્ટાંત હોય તો એ ‘શેરખાન’ છે.

Vijaygupta Maurya

Image
૧૯૦૯--૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ વિજ્ઞાનલેખનમાં વિજયગુપ્ત મૌર્યના પ્રદાનની ટૂંકી ઝલક--કાન્તિ ભટ્ટની તેમજ દિવ્યેશ વ્યાસની કલમે એક સુધારો--પાછલી ઉંમરે વિજયગુપ્ત મૌર્યને આલ્ઝાઇમરનો નહિ, પણ પાર્કિન્સન્સનો દુઃસાધ્ય રોગ લાગૂ પડ્યો હતો.

Vijaygupta Maurya

Image
૧૯૦૯--૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ વિજયગુપ્ત મૌર્ય--જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ તારીખ તો બરાબર યાદ નથી, પણ વર્ષ ૧૯૫૭નું હતું. ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ INS રણજીત હિન્દી મહાસાગરમાં હંકારી રહ્યું હતું. મુંબઇથી મૂળ તો તે એડન જવા માટે નીકળેલું, પણ એડનમાં રોગચાળો ફાટી નીકળ્યાના સમાચાર મધદરિયે મળ્યા પછી જહાજે પૂર્વ આફ્રિકાની દિશા પકડી હતી. હવે તે કેન્યાના મોમ્બાસા બંદર તરફ આગળ વધી રહ્યું હતું. કાંઠો હજી કેટલાક કિલોમીટર દૂર હતો ત્યાં જહાજના વાયરલેસમાં મેસેજ ઝીલાયો. મેસેજ મોમ્બાસા બંદરેથી હતોઃ ‘આપના જહાજ પર વિજયગુપ્ત મૌર્ય નામના પત્રકાર હાજર છે? જો હોય તો એમને જાણ કરો કે તેઓને મળવા માટે અહીં ગુજરાતીઓની ભીડ જામી છે.’ ‘નહિ, એ નામની કોઇ વ્યક્તિ અમારા જહાજ પર નથી!’ INS રણજીત પર ફરજ બજાવી રહેલા કોમોડર એસ. એમ. નન્દાએ પ્રત્યુત્તર આપ્યો. ‘અહીં એક જ પત્રકાર છે અને તેમનું નામ મિસ્ટર વાસુ છે, વિજયગુપ્ત મૌર્ય નહિ.’ નન્દાએ ફોનનું રીસિવર મૂક્યું. આ સાંભળી કોમોડર નન્દાની બાજુમાં ઉભેલા પત્રકાર તરત બોલી ઉઠ્યા--‘એ હું જ છું... મારા વાચકો મને વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખે છે.’ નન્દા આશ્ચર્ય પામી ગયા. ...