Posts

Showing posts from July, 2009

ભારતીય સંસ્કૃતિના ભુક્કા બોલાવી રહેલું ટી.વી.નું ચંગીઝખાની આક્રમણ

Image
ટેલિવિઝનનું નામ ઇડિઅટ બોક્સ કોણે પાડ્યું એ તો કોણ જાણે, પણ તવારીખી નોંધ મુજબ એ હુલામણા નામનો સિક્કો ૧૯૬૦ના અરસામાં જામ્યો હતો. આજે સાડા ચાર દાયકે ઇડિઅટ બોક્સ શબ્દના રચયિતાની દૂરંદેશીને દાદ આપવાનું મન થાય એવો ઘાટ સર્જાયો છે. સેટેલાઇટ ચેનલોના જમેલામાં ઢંગધડા વિનાની સિરિઅલોનો શિસ્તહિન ટ્રાફિક બેફામ વહી રહ્યો છે. ડિસ્કવરી તેમજ નેશનલ જ્યોગ્રોફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલોને તેમાં અપવાદ ગણો તોય બીજી એક સમસ્યા એ છે કે એવી ચેનલો પર કાર્યક્રમના મધ્યે કમર્શિયલ બ્રેકમાં કેટલીક જાહેરાતો એવી હોય છે કે જે સંસ્કારી વ્યક્તિને સપરિવાર જોવામાં બેશક ક્ષોભ નડે. ટેલિવિઝન બાળકોના દિમાગમાં થતી વિકાસપ્રક્રિયાને કેટલી હદે ધીમી પાડી દે છે અને તેના કારણે સરવાળે તેમનું મગજ ફળદ્રુપ કેમ બની શકતું નથી તેનો યુનોએ પ્રસિદ્ધ કરેલો સાયન્ટિફિક રિસર્ચ રિપોર્ટ વાંચવા જેવો છે. ઇડિઅટ બોક્સ સામે કલાકો સુધી ખોડાઇને બેસી રહેવું અને તેના પડદે જે કંઇ રજૂ થાય તેને નિસ્પૃહ બની જોતા બેસી રહેવું વ્યક્તિગત રીતે મને ગમતું નથી. પરિણામે ટેલિવિઝનની જે તે ચેનલોમાં શી નવાજૂની બને છે તેની લગીરે જાણ હોતી નથી. એક વિચિત્ર નવાજૂની વિશે જો કે થોડા દિવસ

સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ--વાયા ઇન્ટરનેટ

જુલાઇ ૨૨, ૨૦૦૯નું ખગ્રાસ સૂર્યગ્રહણ નજરોનજર નિહાળવાનો લાખો મેં એક જેવો અવસર ગુજરાતને મળ્યો. પરંતુ દુર્ભાગ્યે તે અવસરનો લાભ ઉઠાવવાનો મોકો ગુજરાતની જનતાને સંભવતઃ મળવાનો નથી. ચંદ્ર આપણા સૂર્યને ઢાંકે તે પહેલાં અરબી સમુદ્ર પરથી (ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગ્યે) ચડી આવેલાં વરસાદી વાદળોએ ખુદ સૂર્યને ઢાંકી દીધો છે. ઇસરોના ઇન્સેટ ઉપગ્રહે લીધેલી તસવીરો જોતાં લાગે છે કે બંગાળના ઉપસાગર પરથી વધુ વાદળો વાયા મધ્યપ્રદેશ ગુજરાતના આકાશમાં કરફ્યૂ ઓર્ડર ફરમાવવા સરકી રહ્યા છે. પરિણામે ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, વડોદરા તેમજ સુરત જેવાં શહેરોમાં વાદળોની ઓથે ઢંકાયેલો સૂર્ય જોવા મળે એવી સંભાવના ઓછી છે. આમ છતાં આવતી કાલે ગુજરાતના માથે વાદળોની સ્થિતિ શી હશે તેનું પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે, કેમ કે અરબી સમુદ્રનાં વાદળો ક્રમશઃ ઉત્તર તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. વાદળોની હિલચાલ જાણવા માટે ભારતના હવામાનખાતાની વેબસાઇટ http://imd.gov.in તપાસીને ચાહો તો કાલના હવામાનનો વર્તારો મેળવી શકો છો. બુધવારની સવારે સ્વચ્છ આકાશમાં સૂર્યદેવના દર્શન થાય તો તેના જેવું કંઇ નહિ. નહિતર સૂર્યગ્રહણ જોવા માટેનો બીજો એક વિકલ્પ અજમાવ

વિજયગુપ્ત મૌર્યનો સ્મરણાંજલિ કાર્યક્રમ--એક અવિસ્મરણીય અનુભવ

કોઇ માણસ લોકપ્રિયતાના ભલે ગમે તેટલા ઊંચા શિખર પાર કરે, પણ સંસારમાંથી તે વિદાય લે ત્યાર બાદ તેને ભૂલી જવાનો માનવસહજ સ્વભાવ છે. પોરબંદરના સાહિત્યપ્રેમી વતનીઓને જો કે એ બાબતે અપવાદ ગણવા રહ્યા, જેમણે પોરબંદરની ધરતી પર માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ જન્મેલા વિજયગુપ્ત મૌર્યને તેમના અવસાનના સત્તર વર્ષે થયે પણ યાદ રાખ્યા છે. આ સદ્ગત લેખકની જન્મશતાબ્દિ નિમિત્તે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્યસમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વિજયગુપ્ત મૌર્યના માનમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં વિજયગુપ્ત મૌર્યને જેમણે નજરોનજર જોયેલા તેવા શ્રી નરોત્તમ પલાણ જેવા પ્રખર વિદ્ધાનોની તથા રામજીભાઇ પા ડ લિયા જેવા સાહિત્યરસિકોની હાજરીએ તેમજ તેમના સંસ્મરણોએ પ્રસંગને સરસ ‘નોસ્ટાલ્જિક ટચ’ આપ્યો. કાર્યક્રમના અન્ય વક્તાઓએ પણ વિજયગુપ્ત મૌર્ય વિશે કેટલીક રસપ્રદ વાતો કરી, જે પૈકી કેટલીક અમારા માટે પણ અજાણી હતી. આખરમાં કેટલાક યુવાન કવિઓએ પોતાની મૌલિક કવિતાઓ રજૂ કરીને પોરબંદરમાં જળવાયેલા સાહિત્યના વારસાનો વખાણવાલાયક પરચો આપ્યો. એકંદરે કાર્યક્રમ સુંદર તેમજ હ્ય્દ

વિજયગુપ્ત મૌર્યની જન્મ શતાબ્દિ નિમિત્તે પોરબંદરમાં જાહેર સમારંભ

Image
૨૦૦૯નું વર્ષ સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિનું છે. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ તેમનો જન્મ થયો હતો. જરાય પક્ષપાત વિના કે અતિશયોક્તિ વિના એમ કહી શકું કે તેમના જન્મ સાથે પરંપરાગત ગુજરાતી પત્રકારત્વમાં જ્ઞાનવિજ્ઞાનની એક નવી શાખાનો પણ ઉદ્ભવ થયો. વિજયગુપ્ત મૌર્યએ તે શાખા તેમની કલમ વડે ઉભી કરી અને પોતાની ૪૬ વર્ષ લાંબી લેખનયાત્રા દરમ્યાન તે શાખાને વિકસાવી પણ ખરી. પક્ષીજગત, પ્રાણીજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, સમુદ્રસૃષ્ટિ, ઇતિહાસ, પર્યાવરણ, શિકારકથાઓ વગેરે વિવિધ વિષયો પર તેમણે વાચકોને જ્ઞાનસમૃદ્ધ લેખો આપ્યા. સમાજલક્ષી પત્રકારત્વ કોને કહેવાય તેનું ઉમદા ઉદાહરણ તેમણે આપ્યું. વિજયગુપ્ત મૌર્યનું મૂળ વતન પોરબંદર, જ્યાં તેઓ ઉછર્યા, ભણ્યાગણ્યા અને પોરબંદરની કોર્ટમાં મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા. આ સદ્ગત લેખકની જન્મ શતાબ્દિના પ્રસંગે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્ય સમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અહીં નિમંત્રણ પત્રિકાની ઇમેજ મૂકી છે. વિજયગુપ્