Posts

Showing posts with the label Kashmir

આર્મી સર્વિસ કોરઃ હોળી કે દિવાળી, તારે યુદ્ધ એ જ તહેવાર

Image
05-08-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

હવે કેસરના દાણા દાણામાં કાશ્‍મીરનો દમ!

Image
29-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય

Image
26-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનઃ ગુમાવેલું કાશ્‍મીર પરત લેવાના પ્રયાસો શરૂ?

Image
કાશ્‍મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’ દેશને આઝાદી મળી ત્‍યારે કાશ્‍મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્‍લી ઘડીએ એવું શું બન્‍યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્‍તાનની છાબડીમાં ખરી પડ્યો?  ભૌગોલિક રીતે કાશ્‍મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્‍મીરના વાંકે પા‌કિસ્‍તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્‍મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્‍યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્‍ય રત્‍નો ખરી પડ્યાં છે તે જુઓઃ  ■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્‍મુ-કાશ્‍મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્‍યારે રાજ્યનો કુલ વિસ્‍તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્‍તાની હુમલાખોરો કાશ્‍મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્‍કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્ય...

પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં

આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે...

આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ

રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે. દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો...

વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!

Image
ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (બાજુનો ફોટો) જૂન ૭ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મી ડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે. આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ. કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ ...