Posts

Showing posts from April, 2020

પારકી ભૂમિ પર પગદંડો જમાવતા ચીનનું આપખુદ વલણઃ હમ સબ કા ખાવે, હમારા ખાવે વો મર જાવે!

Image
તાજેતરમાં ચીને દક્ષિણ ચીની સમુદ્રના દેશો સામે બાંયો કેમ ચડાવી? ચીનની દાવેદારી અને દાદાગીરી શી છે? વીસમી સદીમાં ચીનના સામ્યવાદી શાસક માઓ ઝેદોંગે કહેલું કે દુશ્‍મનના ભૌગોલિક પ્રદેશ પર કબજો જમાવવા માટે સશસ્‍ત્ર યુદ્ધ ખેલવું જ પડે એવું જરૂરી નથી. બંદૂકની એકેય ગોળી દાગ્યા વિના અને લોહીનું એકાદ ટીપું પાડ્યા વિના પણ માત્ર બુદ્ધિબળે શત્રુભૂમિ હસ્‍તગત કરી શકાય છે. આ રીતેઃ સરહદ ઓળંગીને શત્રુની ભૂમિમાં બે ડગલાં પેસારો કરો... દુશ્‍મન રોકકળ મચાવે તો તેને છાનો રાખવા એક ડગલું પાછળ ખસી જાવ... થોડા દિવસો બાદ ફરી ચુપચાપ બે ડગલાં આગળ વધો અને શત્રુ આંખો લાલ કરે તો એક ડગલું પીછેહઠ કરો. આમને આમ દુશ્‍મનની ભૂમિમાં આગળ વધતા તેની જમીન ઇંચ ઇંચ લેખે પચાવ્‍યે રાખો. લાંબે ગાળે ઇંચનો હિસાબ કિલોમીટરમાં ગણવો પડે એવડો મોટો પ્રદેશ એડી નીચે આવી ચૂક્યો હશે. માઓ તો કબરમાં પોઢી ગયા પણ ચીની સત્તાધીશોને ઉપરોક્ત સંદેશો આપી જગત માટે મોકાણ મૂકતા ગયા. માઓની ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિને ચીનની સરકારો વર્ષોથી અજમાવતી આવી છે અને પારકા પ્રદેશો પચાવીને દેશના ભૌગોલિક સીમાડા આસ્‍તે આસ્‍તે વિસ્‍તારતી ગઈ છે. એક

મહામારી પંડિતોનો નવો મંત્રઃ ચેપતા નર સદા સુખી

Image
લોકડાઉન પછીયે કોરોના કેડો ન મૂકે તો શું કરવું? સંક્રમણ વધારો, વાઇરસ ભગાડો! મહામારી ફેલાવીને મહત્તમ ખુવારી કરવી વિષાણુનું ‘સ્‍વભાવગત’ લક્ષણ છે, જેનો પરચો માનવજાતને ભૂતકાળમાં વખતોવખત મળી ચૂક્યો છે અને અત્‍યારે કોરોના થકી મળી રહ્યો છે. નરી આંખે ન દેખાતા કોરોનાના માયાવી દૈત્‍ય સામે લોકડાઉન, એન્‍ટિ-વાઇરલ દવા, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, પ્‍લાઝમા થેરાપી વગેરે જેવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. કમનસીબે તેમાંનો એકેય સો ટકા કારગત જણાતો નથી. ઊલટું, સમયના વીતવા સાથે વધુ ને વધુ કોવિડ-૧૯ કેસ નોંધાતા જાય છે. પરોપજીવી વાઇરસ સામે માનવજાતની પરવશતા છતી થયા કરે છે. પરવશતાનો અનુભવ જગતના બહુધા દેશો લોકડાઉન હેઠળ કરી રહ્યા છે ત્‍યારે યુરોપી દેશ સ્‍વીડનની પ્રજા એવી લાચારીભરી લાગણીથી મુક્ત છે. સ્‍વીડિશ પ્રજાને લોકડાઉન મોડલમાં વિશ્વાસ નથી, એટલે કોરોના વિષાણુથી ડરના માર્યા ઘરમાં ચુમાયેલા રહી ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવાને બદલે તેમણે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી અપનાવી મહામારીનો સામી છાતીએ મુકાબલો કરવાનું પસંદ કર્યું છે. પગલું જાનની બાજી ખેલવા જેવું છે, પણ સ્‍વીડિશ બાજીગરોએ નકરાં આંધળુકિયાં કર્યાં નથી. ‘હર્ડ ઇમ્‍ય

કુદરતે કોરોના નામની લાઠી વીંઝીને શું શીખવ્‍યું?

કુદરતી અદૃશ્ય લાઠી પડે ત્‍યારે અવાજ ન કરે, છતાં પ્રહાર મનુષ્‍યની સાન પર પદાર્થપાઠની ‘સોળ’ ઉપસાવે છે. ગંગાપુત્ર દેવવ્રતે ઉર્ફે ભીષ્‍મ પિતામહે એક વાર શ્રીકૃષ્‍ણને સવાલ કરેલો કે, ‘જલ સે પતલા કૌન હૈ?’ શ્રીકૃષ્‍ણનો ઉત્તર હતોઃ ‘જલ સે પતલા જ્ઞાન હૈ.’ તત્ત્વજ્ઞાનમાં થોડોઘણો રસ ધરાવતા ભારતીયો માટે ઉપરોક્ત સંવાદ અજાણ્યો નહિ હોય અને તત્ત્વજ્ઞાન જેમણે ઠીક ઠીક પચાવ્યું હશે તેમને શ્રીકૃષ્ણે ભીષ્‍મ પિતામહને દીધેલા ઉત્તર સામે રતીભાર શંકા પણ નહિ હોય. અહીં તત્ત્વજ્ઞાન બાજુએ રાખીને ઉપરોક્ત સંવાદ વિજ્ઞાનના સંદર્ભે મૂલવીએ. ૧૯૮૦ના દાયકામાં ડોનાલ્ડ ડંકન અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથ નામના બે અંગ્રેજ લેખક-સંશોધક-અભ્‍યાસુઓને વિચાર આવ્યો કે માનવજાત જે કંઈ જાણે છે તેના જ્ઞાનકોશ લખાય, તો જેના વિશે આપણે સાવ એટલે સાવ અંધકારમાં છીએ તેવી બાબતોનો એકાદ અજ્ઞાનકોશ લખ્‍યો હોય તો કેમ? ભૌતિક વિજ્ઞાન, ટેક્નોલોજિ, ખગોળશાસ્‍ત્ર, જીવજગત, સમુદ્રશાસ્‍ત્ર જેવા વિષયોમાં વિજ્ઞાનીઓ માટે બિલકુલ અજાણી રહી ગયેલી બાબતો શોધી કાઢવા માટે ડોનાલ્ડ ડંકને અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથે ખાંખાંખોળા કર્યાં અને નોંધ ટપકાવતા ગયા. હજારો ન

અંકુશરેખા પર ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે કોરોનાવાઇરસની પેશકદમીના પાકિસ્તાની ષડ ‍ યંત્ર સામે... 🇮🇳  ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ  💪 અંકુશરેખાની પેલે પાર પાકિસ્તાનનાં દેખી ન શકાતાં લક્ષ્યાંકોનું મોતી ભારતીય તોપચીઓ કેવી રીતે વીંધી નાખે છે? ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ માર્ચ, ૨૦૨૦થી આખું જગત જ્યારે કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે ત્ ‍ યારે પાકિસ્તાને ભારત માટે લડાઈનો વધુ એક મોરચો ખોલી દીધો છે. એક મહિનાથી પાકિસ્તાની ખુશ્કીદળ જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થતી અંકુશરેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) પર તૈનાત આપણી લશ્કરી ચોકીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ ભીષણ તોપમારો તથા ગોળીબાર કરી રહ્યું છે. અંકુશરેખા પર આમેય બે દેશો વચ્ ‍ ચે ગરમાગરમીનો માહોલ હોય, પરંતુ મહિના દિવસથી પાકિસ્તાને ફાયરિંગ વધારી દીધા પછી રીતસર ધમાચકડી મચી છે. આપણા જવાનો દુશ્મનને બહુ કઠોર અને કરારો જવાબ આપી ચૂક્યા છે. હજી આપી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય કે આખું જગત જ્યારે કોવિડ-૧૯ના ભરડામાં સપડાયું છે ત્યારે પાકિસ્તાને અંકુશરેખા પર ઓચિંતું ફાયરિંગ શા માટે વધારી દીધું? થોડીક પૂર્વભૂમિકા સાથે આનો જવાબ તપાસીએ. જમ્

કોરોના વિરુદ્ધ રણનીતિઃ આત્મરક્ષણની અપનાવી, હવે આક્રમણની અજમાવવી જોઈએ?

કોરોના સામે આપણે લોકડાઉનનું ચીની મોડલ અપનાવ્યું છે. બીજું મોડલ દક્ષિણ કોરિયાનું છેઃ નોક-ડાઉન યાને વિષાણુને ‘ઢાળી’ દેવાનું! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ખાવું અથવા ખવાઈ જવું એ વણલખ્યો નિયમ પૃથ્વીના દરેક મનુષ્યેતર જીવને લાગુ પડતો હોવાથી કુદરતના ખોળે બે સજીવો વચ્ચે જીવનમરણનો સંગ્રામ સતત ખેલાતો રહે છે. સંગ્રામમાં જે તે સજીવ પાસે બે વિકલ્ ‍ પો હોય છેઃ કાં તો પ્રતિસ્પર્ધીને હાથતાળી આપી સિફતપૂર્વક નાસી છૂટવું અથવા પ્રતિસ્પર્ધીને જોરદાર લડત આપવી. કોરોના વિરુદ્ધના સાઇલન્ટ સંગ્રામમાં માનવજાત સામે પણ બે વિકલ્પો છેઃ વિષાણુના હુમલાથી સતત બચતા રહો અથવા પરબારો વિષાણુ પર જ હુમલો કરો. એકમાં આત્મરક્ષણ કેંદ્રસ્ ‍ થાને છે તો બીજામાં આક્રમણ! પહેલી પદ્ધતિ ચીને (અને પછી ભારત સહિતના ઘણા દેશોએ) અપનાવેલી છે, તો બીજી દક્ષિણ કોરિયાએ અજમાવેલી (અને ભારતે) અજમાવવા જેવી છે. બન્ને વિકલ્પો વારાફરતી સમજીએ. કોરોનાવાઇરસ દ્વારા સર્જાતી કોવિડ-૧૯ બીમારીનો પહેલો બનાવ ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેર ખાતે નોંધાયો હતો. વુહાનના ચીની તબીબોએ શરૂઆતમાં તો કેસ સામાન્ય ફ્લૂનો ધારી લીધો અને દરદીને સારવાર પણ તે

કોરોનાવાઇરસનું કારણ તો સમજ્યા, હવે મારણ શું?

વાઇરસની અસરકારકતા વધુઓછે અંશે ઘટાડી શકાય એ માટે દેશવિદેશના તબીબી સંશોધકો લેબોરેટરીમાં બંધબારણે અવનવાં રિસર્ચ હાથ ધરી રહ્યા છે. સંશોધનોને હજી ખરાઇનો સિક્કો વાગ્યો નથી, છતાં કેટલાંક રિસર્ચ રસ પમાડે તેવાં છે. ચીનના વુહાનમાં ઉદ્ ‍ ભવેલા કોરોનાના SARS-CoV-2 વાઇરસે જગતના કરોડો લોકોને બંધબારણે રહેવા ફરજ પાડી છે ત્યારે ભારત સહિત અનેક દેશોમાં હજારો વાઇરોલોજિસ્ટ (વાઇરસના અભ્ ‍ યાસુ વિજ્ઞાનીઓ), જીવવિજ્ઞાનીઓ, તબીબો તથા સંશોધકો પણ લોકડાઉન જેવી સ્થિતિમાં મુકાયા છે. કોરોનાનો વિષાણુ આપણા લોકડાઉનનું કારણ છે, તો વિજ્ઞાનીઓ વિષાણુનું મારણ શોધવા લેબોરેટરીમાં પુરાયા છે. સૌ જાણે છે તેમ કોરોનાવાઇરસને નાથવાનો સૌથી સજ્જડ ઉપાય તેની અસરકારક રસી છે. બીજી તરફ રસી બારથી અઢાર મહિના પહેલાં તૈયાર થાય તેવી સંભાવના જણાતી નથી. આ લાંબા સમયગાળા દરમ્યાન લોકોને ઘરમાં પૂરી રાખવા અર્થતંત્રની દૃષ્ટિએ હિતાવહ નથી, તો તેમને છૂટો દોર આપી દઈ કોરોના મહામારીને રૌદ્ર સ્વરૂપ દેવું તબીબી નજરે ઉચિત નથી. બહુ વિકટ સમસ્યા છે. પરંતુ વિકટ સંજોગોનો વૈજ્ઞાનિક તોડ ન કાઢે એ સંશોધકો નહિ. પેલો ફિલ્મી ડાયલોગ मैं वो बला हूं जो शीशे से पत्थर क

રોગપ્રતિકારક શક્તિઃ કોરોનાવાઇરસને નાથવાનું બ્રહ્માસ્ત્ર

કોરોનાવાઇરસની રસી હજી શોધાઈ નથી—અને તે કાર્યમાં અનેક પડકારો જોતાં ક્યારે શોધાય એ કહી શકાય નહિ. આ અંધકારમય સ્‍થિતિમાં કોરોના સામે શરીરના રોગપ્રતિકારક તંત્રએ લડત આપ્‍યાના અને વિજય મેળવ્યાના કેસમાં તબીબોને આશાનું કિરણ દેખાય છે. પૃથ્‍વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયૉલૉજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્‍યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય. કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત્ વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાનતંત્ર નથી અને જ્ઞાનતંત્રના અભાવે જ્ઞાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જે