Posts

Showing posts with the label Editorial

દમદાર માહિતી પીરસતું ‘સફારી’ હવે દમકદાર રંગીન અવતારમાં

Image
આ સામયિકના હજારો જિજ્ઞાસુ વાચકોએ આજ દિન સુધી પૂછેલા ૨,૫૦૦ કરતાંય વધુ પ્રશ્નોના મુદ્દાસર જવાબો ‘ફેક્ટફાઇન્ડર’ વિભાગમાં આશરે ૨૫૦ અંકો થયે અપાતા રહ્યા છે. અનેક વાચકો દ્વારા વારંવાર પૂછાતો રહેલો અને હંમેશાં નિરુત્તર રહી જવા પામેલો એક સવાલ આમ હતો ઃ ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કેમ આપતા નથી ? ચાલુ અંકથી ‘સફારી’નાં રૂપ-રંગ બદલી નાખ્યાં પછી ઉપરોક્ત પ્રશ્ન demonetise થયેલી `1000 ની નોટ જેવો નિરર્થક થઇ ગયો. આથી પ્રસ્તુત અંક હાથમાં ઉઠાવતાવેંત વાચકોના મનમાં સંભવતઃ ઉઠેલા ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કરવામાં આટલું મોડું કેમ કર્યું ? એ સવાલનો લોજિકલ ખુલાસો અહીં પહેલી વાર રજૂ કરીએ છીએ. જથ્થાબંધ નકલોનો ફેલાવો ધરાવતા ‘સફારી’ જેવા સામયિકોનું મુદ્રણ વેબ ઓફેસટ કહેવાતા પ્રિન્ટિંગ મશીન પર થાય છે, જેમાં મોટા કદના roll / વીંટલામાંથી આસ્તે આસ્તે રીલિસ થતો સફેદ કાગળ વિરાટ પ્રિન્ટિંગ મશીનના સંખ્યાબંધ રોલર્સમાંથી પસાર થતો જાય તેમ તેના પર મુદ્રણ થતું રહે. મશીનના એક છેડે દાખલ થતો કોરો કાગળ અનેક ‘ગલીકૂંચીઓ’ સોંસરવો અંતે સામા છેડે ૧૬ યા ૩૨ પાનાંરૂપે છપાઇને તેમજ આપોઆપ ફોલ્ડ થઇને બહાર નીકળે. વર્ષોથી ‘સફારી’નું બ્લ...

એક યાદગાર મુલાકાત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાના સિંહ સાથે

Image
મેજર સોમનાથ શર્મા, લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર, ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવત, મેજર શૈતાનસિંહ... આ બધાં નામો ભારતીય ખુશ્કીદળના એ સપૂતોનાં છે જેમણે યુદ્ધમેદાનમાં દાખવેલાં અપ્રતિમ સાહસોને ભારત સરકારે સર્વોચ્ચ લશ્કરી ખિતાબ પરમવીર ચક્ર વડે નવાજ્યાં છે. દુશ્મન સાથે એ વીરો સામી છાતીએ લડ્યા, પણ વિધિનો ક્રૂર ખેલ કે પરમવીર ચક્રનો મેડલ તેમની છાતીએ શોભે એ પહેલાં તેઓ વીરગતિ પામ્યા. ૧૯૪૭ના પ્રથમ ભારત-પાક યુદ્ધથી લઇને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સુધીના વિવિધ સંગ્રામોમાં અજોડ સાહસ અને શૌર્ય દાખવનાર કુલ ૨૧ સપૂતો પરમવીર ચક્ર પામ્યા છે. આજે તેમાંના ફક્ત ૩ સપૂતો હયાત છે.  આ living legend / જીવંત દંતકથા જેવા શૂરવીરો પૈકી એક એવા પરમવીર કેપ્ટન બાના સિંહને થોડા વખત પહેલાં વડોદરા ખાતે રૂબરૂ મળવાનું થયું. જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિઆચેન સાથે બાના સિંહનું નામ અત્યંત ગાઢ રીતે જોડાયેલું છે. ૧૯૮૭ના અરસામાં સિઆચેનની સૌથી ઊંચી (૬,૭૫૨ મીટર) પહાડી ચોટીએ પાકિસ્તાને ‘કાઇદ પોસ્ટ’ નામની લશ્કરી ચોકી સ્થાપી હતી, જ્યાંથી તેના સૈનિકો આપણા ખુશ્કીદળન...

સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન !

Image
તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે. આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લ...

'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

Image
૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો. બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી ...

'સ્‍કો‌ર્પ‌િન' સબમરીનના સ‌િક્રેટ ડેટાની તફડંચી ભારત માટે કેમ ચ‌િંતાજનક છે ?

Image
ભારતીય નૌકાદળ માટે અત્યાધુનિક ‘સ્કોર્પિન’ સબમરીન્સનો ફ્રાન્સ જોડે કરાયેલો સોદો કયા ચોઘડિયામાં થયો એ કોણ જાણે, પણ તે થયા પછી ભારતના નસીબે ઉદ્વેગ લખાયો હોય એમ લાગે છે. સોદો છેક ૨૦૦૨ની સાલમાં થયો, જે મુજબ ભારતે ૬ ‘સ્કોર્પિન’ બદલ ફ્રાન્સને રૂા.૧૨,૬૦૯ કરોડ ચૂકવવાના હતા. લેખિત કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરવામાં ત્રણ વર્ષ નીકળી ગયાં, એટલે ૨૦૦૫માં સોદાની રકમ રૂા.૧૫,૪૪૭ કરોડે પહોંચી. ટેક્નોલોજિના હસ્તાંતરણમાં ફ્રાન્સે વધુ કેટલાંક વર્ષ ખેંચી નાખ્યા, એટલે ‘સ્કોર્પિન’ પેટેનું ભારતીય ચૂકવણું આખરે રૂા.૧૮,૦૦૦ કરોડે પહોંચ્યું. સોદાની મૂળ રકમ કરતાં રૂા.૬,૦૦૦ કરોડ વધારે ! ભારતના પક્ષે ઉદ્વેગનો ક્રમ આટલેથી અટક્યો નહિ. આ સબમરીનના બાંધકામનું વર્ષ ૨૦૧૨ નક્કી કરવામાં આવ્યું હતું, પણ મુહૂર્ત છેક ૨૦૧૫માં આવ્યું. પહેલી ‘સ્કોર્પિન’ એ વર્ષે બની ખરી, પણ બ્લેક શાર્ક નામના ટોરપિડોના અભાવે મારકણી ન બની. ૨૦૦૨થી આજ દિન સુધી ‘સ્કોર્પિન’ને લઇ ભારતને એક પછી એક સંખ્યાબંધ હર્ડલ્સ નડ્યાં. ગયા મહિનાની આખરમાં વળી એક અણધારી રુકાવટ આવી, જેની ગંભીરતા જોતાં તેને હર્ડલ ન કહેતાં રીતસર મુસીબતનો પહાડ ગણવો જોઇએ. ‘સ્કોર્પિન’ સબમરીનન...

ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

Image
ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSG ના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSG નું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSG નું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSG ના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે. ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ...

ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

Image
એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’ બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’ આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિ...

જીપગાડીથી અગોસ્તા હે‌લ‌િકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?

Image
અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી. આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામ...

ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

Image
પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ. માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગ...

ઘરબેઠા વીજળી કાંતી દેતો ચરખો Free Electric : પીછેહઠ વડે પ્રગત‌િની અાગેકૂચ !

Image
આજથી ચારેક લાખ વર્ષ પહેલાં ગુફાવાસી આદિમાનવે પાણા ઘસીને અગ્નિ પ્રગટાવ્યો ત્યારે માનવજાતના હસ્તે પહેલવહેલી ‘વૈજ્ઞાનિક’ શોધ થઇ હતી. અગ્નિનો આવિષ્કાર ઊર્જાનો પહેલો સ્રોત હતો, જેનું મહત્ત્વ અબુધ આદિમાનવને સમજાયું નહોતું. ચકમકનો તણખો મૂળ તો તેની જરૂરિયાતના તેમજ જિજ્ઞાસાના સમન્વયને લીધે ઝર્યો હતો. બાકી તો ઊર્જાના બહોળા વપરાશને આદિમાનવના સીધાસાદા ગુફાજીવનમાં સ્થાન ન હતું. લાખો વર્ષ સુધી તેણે પોતાની શારીરિક ઊર્જા વડે જે તે કાર્યો પાર પાડ્યાં. આખરે અઢારમી સદીમાં ઔદ્યોગિક યુગ ખીલ્યો ત્યારે વરાળની શક્તિ વડે માનવજાતે પહેલી જ વાર ઉદ્યોગોનાં ચક્રો ફરતાં કર્યાં અને ૧૫૦ વર્ષ સુધી તેમને ગતિમાન રાખ્યાં. વીજળીના અને પેટ્રોલિયમના આગમન સાથે વૈજ્ઞાનિક પ્રપ્રગતિના ભાગરૂપે માનવજાત મિકેનિકલ યુગને તજી ઇલેક્ટ્રોનિક્સના આધુનિક યુગમાં પ્રપ્રવેશી, જ્યાં તેણે અભૂતપૂર્વ હરણફાળ ભરી. ફાળ ભરવાનું હજી પણ ચાલુ છે, છતાં ઊર્જાની કટોકટી વચ્ચે ટેમ્પો તૂટી રહ્યો છે. આથી જગતના સૌ ઊર્જાનિષ્ણાતોના મનમાં આજકાલ એક સાહજિક પ્રપ્રશ્ન ઊઠે છે ઃ માનવજાતના કલ્યાણ માટે ઊર્જાના એકાદ નવા તેમજ વાતાવરણના પ્રપ્રદૂષણમાં નવો વધારો કરે નહિ તેવા ...

સ‌િઅાચેન હ‌િમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'

Image
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન  ‘સફારી’ના ‌ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં  ' પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?'  શીર્ષક હેઠળ  રજૂ કર્યું છે. અહીં ‌તે લેખની પૂર્વભૂ‌મ‌િકારૂપે ‌સ‌િઅાચેન ક્ષ્‍ાેત્રનો ટૂંકપર‌િચય અાપ્યો છે. ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વ...

પાક અણુમથકના સેબોટાજનો ભારતીય પ્લાન, જે પોતે સેબોટાજ થયો

Image
આ વખતે બાવીસ પાનામાં લંબાતી ‘એક વખત એવું બન્યું...’ વિભાગની સત્યકથામાં એ ચોંકાવનારી ઘટનાનું વર્ણન છે કે જેની આપણે ત્યાં મીડિઆ દ્વારા લગભગ કશી જ નોંધ લેવામાં આવી નથી. સ્વાભાવિક છે. ઘટના દેશના સંરક્ષણને લગતી છે. ફિલ્મસ્ટારોને, ક્રિકેટરોને, ગુનાખોરી કે લવારાબાજ પોલિટિશિઅનોને લગતી નહિ. પાકિસ્તાન સામે ભારતે ૮,૦૦,૦૦૦ જવાનોની તાદાદનું અને ‘પૃથ્વી’ મિસાઇલ્સ સહિતનાં લાખો શસ્ત્રોનું ‘ઓપરેશન પરાક્રમ’ કેમ હાથ ધરવું પડ્યું અને બેય દેશો કેમ અણુયુદ્ધ ખેલવાના આરે આવી ગયા તેના ખુલાસા માટે જો કે રાજકર્તાઓને ચિત્રમાં લાવવા પડે તેમ છે. ચિત્રમાં પણ નહિ, આરોપીના પાંજરામાં લાવીને ખડા કરવા પડે તેમ છે. ડિફેન્સની બાબતોનો કક્કો સુદ્ધાં ન જાણતા એ શાસકોએ ભારતની સુરક્ષા કિલ્લેબંધીને કોનિ્ક્રટને બદલે કાર્ડબોર્ડની બનાવી દીધી છે. ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ના રોજ વડા પ્રધાન વાજપેયીએ જંગી પાયાનું ‘ઓપરેશન પરાક્રમ’ નછૂટકે હાથ ધરવું પડ્યું અને તેમાં સખત મુશ્કેલીઓ વેઠવી પડી એ તેમના પુરોગામી શાસકોની સંરક્ષણ વિશેની નિરક્ષરતાનું અને નાસમજીનું સીધું પરિણામ હતું. એક વાર ફીલ્ડ-માર્શલ સામ માણેકશાએ કહેલું કે, ‘આપણા રાજકારણીઓ ગન અન...