ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી

સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા?

ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી.

દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (છેલ્લા આંકડા મુજબ ભારતમાં ૧૨,૦૦૦ સિનેમા હોલ અને બસ્સો કરતાં વધુ મલ્ટિપ્લેક્સ છે). પરંતુ નવી પેઢીનું ઘડતર કરવામાં જેનો મહત્ત્વનો ફાળો છે તે વિજ્ઞાન-ટેક્નોલોજિના મ્યુઝિયમો આંગળીના વેઢે ગણવા પડે છે. ભારતની નવી પેઢીની એ કમબખ્તી છે. વિજ્ઞાન ક્ષેત્રે ભારત અભૂતપૂર્વ પ્રગતિ સાધી રહ્યું છે, પરંતુ દેશના સરેરાશ વિદ્યાર્થી માટે આજની તારીખે પણ વિજ્ઞાન એ જાત અનુભવ કરીને શીખવાનો અર્થાત ઇન્ટરએક્ટિવ નહિ, બલકે પુસ્તકિયા જ્ઞાનનો વિષય છે.

ધરતીકંપ વખતે પૃથ્વીના ભૂસ્તરીય પોપડામાં કેવી અને મુખ્યત્વે કુલ કેટલા પ્રકારની હિલચાલ મચે છે ? સમુદ્રમાં વિરાટ વમળો કેવી રીતે રચાય તથા ત્સુનામી કેવી રીતે આવે ? વિમાનના એન્જિનની, મિસાઇલની તેમજ રોકેટની આંતરિક રચના કેવી હોય ? ઊર્જાગતિશાસ્ત્રનો સિદ્ધાંત શું છે અને સમગ્ર બ્રહ્માંડને તે કેવી રીતે લાગૂ પડે ? વગેરે જેવા વિજ્ઞાન-ટેક્નોલોજિને લગતા અનેક મુદ્દા વિદ્યાર્થીઓએ ગૂંચવાડો પેદા કરનારા વાક્યો ગોખીને અને અટપટા ડાયાગ્રામ તપાસીને સમજવા પડે છે. કહો કે સમજવાનો પ્રયાસ કરવો પડે છે, જે સરવાળે વિજ્ઞાન શબ્દ આગળ ‘બોરિંગ’ વિશેષણ લગાડવામાં કારણભૂત બને છે. આને બદલે વિજ્ઞાનના જે તે સિદ્ધાંતો સમજાવતા વર્કીંગ મોડેલ વિદ્યાર્થી સમક્ષ મૂકી દેવામાં આવે તો મગજમાં બાઝેલાં ગેરસમજનાં બાવાંજાળાં નાની વયે દૂર થયા વિના ન રહે, વિદ્યાર્થીમાં રચનાત્મકતાનો ગુણ ખીલે અને તેના નતીજારૂપે તેનામાં આત્મવિશ્વાસ આવે એ સ્વાભાવિક વાત છે.

આ સિમ્પલ વાત સિંગાપુર, મલયેશિયા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો ક્યારના સમજી ચૂક્યા છે. વિજ્ઞાનના અઘરામાં અઘરા વિષયને પળવારમાં પ્રેક્ટિકલ રીતે સમજાવતા ઉપકરણોથી લેસ તેમનાં સાયન્સ મ્યુઝિયમો અફલાતૂન છે. ગયે વર્ષે સિંગાપુર ખાતેના સાયન્સ સેન્ટરની તેમજ મલયેશિયાના પેટ્રોસાયન્સ ડિસ્કવરી સેન્ટરની મુલાકાત લીધી ત્યારે વિજ્ઞાન નગરી ખરેખર કેવી હોવી જોઇએ તે વાતની બરાબર પ્રતીતિ થઇ. વિજ્ઞાનની વિવિધ શાખાઓને લાગૂ પડતા સિદ્ધાંતોને પ્રેક્ટિકલ મોડેલ્સના સ્વરૂપે બહુ સચોટ રીતે બેઉ દેશોએ ઢાળ્યા છે. એક ઉદાહરણ સિંગાપુરના સાયન્સ સેન્ટરનું લેવા જેવું છે, જેમાં લગભગ દરેક વર્કીંગ મોડેલ સમક્ષ ત્રણ જુદી જુદી સ્વિચોનો બંદોબસ્ત કરાયો છે. પ્રથમ ચાંપ દાબવાથી મોડેલ કાર્યરત થાય છે અને તેની કાર્યપ્રણાલિની પ્રાથમિક સમજૂતી સ્ક્રીન પર ટેક્સ્ટરૂપે વાંચવા મળે છે. બીજી સ્વિચ દાબો ત્યારે મોડેલના વર્કીંગ પાછળ રહેલો વૈજ્ઞાનિક સિદ્ધાંત વાંચવા મળે છે અને ત્રીજી ચાંપ દાબતાવેંત તે સિદ્ધાંતના શોધક વિશેની તેમજ માનવજીવનમાં તે સિદ્ધાંત આજે એક યા બીજી રીતે કયા ઉપકરણોમાં વણાઇ ગયો છે તેની જાણકારી મળે છે. ટૂંકમાં, ટેક્સ્ટબૂકના વાક્યો વડે વિજ્ઞાનને સમજવા ઉપરાંત ઇન્ટરએક્ટિવ ઢબે પણ તે વિષય સમજાવવાની શિક્ષણપ્રણાલિ સિંગાપુર-મલયેશિયાએ અપનાવી છે.

આ પ્રણાલિ બ્રિટને અને ફ્રાન્સે પણ સફળતાપૂર્વક અજમાવી છે. આ વર્ષે દિવાળી વેકેશનમાં એ બેય દેશોનો પ્રવાસ ખેડ્યો ત્યારે પંદર દિવસના પ્રવાસમાં ત્યાંના લગભગ બધા જ મ્યુઝિયમો બહુ ઝીણવટપૂર્વક જોયાં. લંડનનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, રોયલ એર ફોર્સ મ્યુઝિયમ અને ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમ તેમના કદ ઉપરાંત ગુણવત્તા અને રજૂઆતની બાબતે પણ અજોડ છે. પેરિસનું સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મ્યુઝિયમ પણ વિજ્ઞાનરસિકો માટે મસ્ટ વિઝિટ જેવું છે, જ્યાં ૧૯૮૭માં સેવાનિવૃત્ત કરેલી ડીઝલ પાવર્ડ સબમરિન મૂકેલી છે. મુલાકાતીઓ સબમરિનની અંદર જઇ શકે છે અને મુલાકાત દરમ્યાન સબમરિનના જે તે વિભાગની સમજૂતી પોર્ટેબલ ઓડિયો ગાઇડ થકી મેળવી શકે છે. આ બેય દેશોના મ્યુઝિયમોમાં વિજ્ઞાનને એટલી સહજ રીતે સમજાવવામાં આવ્યું છે કે જે તે મોડેલને, ઉપકરણને કે પછી એનિમેશન વિડિઓને ચીવટથી જોનાર પ્રેક્ષકને વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો સત્યનારાયણના શીરાની જેમ તરત ગળે ઉતરી જાય.

બે જુદા દેશો વચ્ચે કોઇ બાબતે સરખામણી થાય નહિ--અને કરવી પણ જોઇએ નહિ. પરંતુ વિજ્ઞાનને લોકભોગ્ય તેમજ સુપાચ્ય બનાવવાની વાત આવે ત્યારે કબૂલવું પડે કે બ્રિટન, ફ્રાન્સ અને સિંગાપુરની તુલનાએ ભારત હજી અઢારમી સદીમાં જીવે છે. ગાંધીનગરમાં, કલકત્તામાં તેમજ દિલ્હીમાં સાયન્સ સેન્ટરો બન્યાં છે ખરાં, પણ સરકારનો એ પ્રયત્ન માત્ર કરવા ખાતર કરાયો હોય એમ જણાય છે. દા.ત. ગાંધીનગરનું સાયન્સ સીટી વિવિધ કિસમનાં ઉપકરણોથી સજ્જ છે, પણ જે તે ઉપકરણ વિજ્ઞાનના કયા સિદ્ધાંતને અનુસરે છે તેની મુદ્દાસરની તેમજ સરળ સમજૂતીનો ત્યાં અભાવ છે. પરિણામે જે તે યંત્રને ગતિમાન કર્યા પછી તેની પાછળનું સાયન્સ સરેરાશ વ્યક્તિ સમજી શકતી નથી. (કેટલાંક વર્ષ પહેલાં ગાંધીનગરના હોલ ઓફ સ્પેસની મુલાકાત લીધી ત્યારે ત્યાં મૂકેલા GSLV રોકેટ પર PSLV નું લેબલ વાંચવા મળ્યું હતું. આ અને આવી બીજી ઘણીબધી ભૂલો પાછળથી સુધારવામાં આવી હોય તો સારી વાત છે).

બીજો દાખલો કલકત્તાના સાયન્સ સીટીનો છે, જ્યાં ઘણાં ઉપકરણો લગભગ કાયમી ધોરણે આઉટ ઓફ ઓર્ડર સ્થિતિમાં રહે છે. જે ઉપકરણો કાર્યરત છે તેમને લગતી સમજૂતીનો તો ત્યાં પણ શૂન્યાવકાશ છે. આ બેઉ કેન્દ્રો સામાન્ય માણસ માટે ફેવરિટ પિકનિક સ્પોટ બન્યા એ તેમની એકમાત્ર નોંધપાત્ર સિદ્ધિ ગણો તો ખોટું નહિ. બાકી તો ‘સાયન્સ’ શબ્દ તો એ બેય સ્થળે નક્કર કાચલાની વચ્ચે કેદ અખરોટના ફળની રૂએ ઢબૂરાયેલો છે. એવરેજ મુલાકાતી તેમજ વિદ્યાર્થી એ કાચલું તોડી શકતો નથી, એટલે અભિભૂત કરી દેતું વિજ્ઞાન તેની નજરમાં આવતું નથી.

આપણી સરકાર સાયન્સ સીટીનું સંકુલ ખડું કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ વિજ્ઞાન નગરી તેનું નામ સાર્થક કરે એની દરકાર કેમ કરાતી નથી? ટેક્નોક્રેટ્સ અને વૈજ્ઞાનિક કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિઓની મદદ લેવામાં તેને શા માટે ક્ષોભ નડે છે? આનો જવાબ કદી મળવાનો નહિ, પણ એક હકીકત એ છે કે એકવીસમી સદીમાં દેશને આર્થિક સુપરપાવર બનતો જોવો હોય તો સરકારે વિજ્ઞાનને લોકભોગ્ય બનવવું જોઇએ. વિજ્ઞાનનું નામ સાંભળીને મોં વકાસતા લોકોને વિજ્ઞાનમાં રસ લેતા કરવા જોઇએ--અને તે કામ દેશના વિવિધ શહેરોમાં સાયન્સ સેન્ટરો સ્થાપીને સહેલાઇથી કરી શકાય તેમ છે. કમ સે કમ સાયન્સ સેન્ટરો સ્થાપવા માગતી ખાનગી કંપનીઓને વિનામૂલ્યે જમીન પૂરી પાડીને તેમજ સબસીડી આપીને સરકાર થોડોઘણો પરોક્ષ ફાળો આપી શકે. મંદિરોના બાંધકામ માટે સરકારી જમીનો એકરોના હિસાબે સહજ રીતે ભેટ ધરી દેવાતી હોય છે તો પછી સાયન્સ સેન્ટરો માટે કેમ નહિ? લોકશાહી ભારતમાં આનો પણ જવાબ મેળવવો અશક્ય છે.

દરમ્યાન ભારતમાં દર થોડા વખતે ક્યાંક ને ક્યાંક એકાદ મંદિરનું યા ધાર્મિક સ્થળનું બાંધકામ થાય છે અને જુદા જુદા શહેરોમાં મલ્ટિપ્લેક્સ સિનેમાના તાયફા ખડા થાય છે. ટેલિવિઝનની નવી ચેનલો બિલાડીના ટોપની જેમ ફૂટતી જાય છે--અને માહિતીના ભોગે પીરસાતા મનોરંજનના માહોલ વચ્ચે નવી પેઢીનો માનસિક વિકાસ રૂંધાતો હોવા છતાં સરકારને એ બાબતની પડી નથી, જ્યારે સામાન્ય માતાપિતા એ બાબતે બેધ્યાન કે અજાણ છે. ભવિષ્યમાં આનું પરિણામ શું આવવાનું તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.

છેલ્લે મારા પિતાતુલ્ય ગુરુ (સદગત) રવજીભાઇ સાવલિયાના શબ્દો યાદ આવે છેઃ ‘ભારતમાં શીતળાનો રોગ એક સમયે જીવલેણ ગણાતો, એટલે એ રોગથી બચવા લોકો શીતળા માતાના મંદિરો બાંધતા. આજે સૌરાષ્ટ્રમાં શીતળા માતાના સેંકડો મંદિરો છે, પણ શીતળાની રસી શોધી એ રોગમાંથી જેણે માનવજાતને ઉગારી તે વિજ્ઞાની એડવર્ડ જેનરનું એકેય મંદિર ક્યાંય જોયું?’

Comments

  1. Well said, I felt the same during my trip to India.

    ReplyDelete
  2. Agree to your thoughts on science centers.
    I just visited Gandhinagar science city in this Diwali vacation with some kids and felt it could be much better.
    The name on the rocket is still "PSLV" but I dont know if it was actually PSLV or GSLV.

    I had visited Vishweswarya Museum in Bangalore and it was much better. The instruments placed there were simple but effective and the museum is quite huge. A must watch for those who love science.

    ReplyDelete
  3. ખરેખર મુદ્દા ની વાત છે અને એકદમ સાચી વાત છે.
    મેં આજે જ છાપા માં વાંચ્યું કે આપણા પ્રધાન મંત્રી એ બાળકો ની વચ્ચે બેસી ને ફોટો પડાવી ને કીધું કે "આજ ના બાળકો એ વિજ્ઞાન માં વધારે રસ લેવો જોઈએ." ફોટો પણ સુંદર લાગતો હતો અને વાક્ય તો ખરેખર સુંદર જ છે અને એ તો મંત્રી ઓ ના પ્રોટોકોલ માં જ હોય છે કે આ તો ખાલી બોલવા માટેજ છે.

    મને તમારી "મંદિર માટે જમીન ફળવા ની અને science center માટે નહિ" એ વાત બહુ જ ગમી. હવે તમે એ પણ સમજાવો કે જો સરકાર વિજ્ઞાન માટે પૈસા વેડફે તો એમને vote bank મળે???? જવાબ તમે પણ જનો છે અને બધા જ જાણે છે..

    હવે તમે પરદેસ માં જે પણ કોઈ જોવો છે એમાં ભારતીઓ નો ઘણો બધો ફાળો હોય છે એ તમને પણ ખાબેર છે...

    આપણે ત્યાં કોઈ પણ higher education લઇ ને ક્યાં તો લેવા માટે પરદેસ જાય છે અને પછી એ લોકો આપના દેશ માં કે દેશ માટે કેમ કામ નથી કરતા???

    આપના દેશ knoledge bank દેશ ની બહાર જ શુખી છે અને એ ભૂલ થી પણ પાછા આવાનું નથી વિચારતા... આપણી સરકાર ને તો બસ એનો કાર્યકાળ સાચવાનો છે એમે કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ બસ...

    વિજ્ઞાન નું જે થવું હોય એ થાય... સરકાર પાસે ISRO ને ફળવા માટે પૈસા નથી અને એના કારણે આપણે ઘણા પછાત રહીએ છીએ છે....

    ReplyDelete
  4. @ Brijesh Patel,

    બ્રિજેશભાઈ,
    તમે સરકારને ઈસરો માટે વધારે ફંડ ફાળવવાની સુફિયાણી સલાહ આપવાને બદલે ચોખ્ખી અને સાફસુથરી જાહેર મુતરડીઓ અને અને શૌચાલયો બાંધવાનું સૂચન કર્યું હોત તો સારું હતું, કારણકે અત્યારે દેશવાસીઓને
    મૂન મિશન જેવા ફાલતૂ પ્રોજેક્ટો કરતા પણ જાહેર મુતરડીઓ અને અને શૌચાલયોની વધારે જરૂર છે. કમ સે કમ એનાથી જાહેર સ્થળોની માથું ફાટી જાય તે હદે ગંધાતી દીવાલો તો ભીની થતી બંધ થશે.

    ReplyDelete
  5. હા આજે પણ સાયન્સ સિટીમાં સ્થિતિ લગભગ સરખી છે. અમુક સાધનો કામ કરતા નથી. ઉપકરણોની બાજુમાં તેના વિષે લખ્યું છે એની ભાષા પણ પાઠ્યપુસ્તકની ભાષા જેવી જ અઘરી છે. ત્યાં સારી વાત એ જ છે કે પીકનીક માનવામાં કાઈ વાંધો નથી આવતો. વધુમાં રાતે મોડે સુધી ખુલ્લું રહેતું હોવાને કારણે ત્યાં યુવક-યુવતીઓ બેસવા પણ આવતા હોય છે! ત્યાં જોકે તેના આઈમેક્ષ થીએટર એક-બે થ્રી-ડી ફિલ્મો સારી ચાલતી હોય છે.

    ReplyDelete
  6. I completely agree with this article. Because of such reasons, sometimes I am reluctant to say "mera bharat mahan". I think comparing number of science centers with tamples or multiplexes is wrong but at least we should have couple of good science centers per state.

    I have also been to Hong Kong space museum and they are so good. At least they make subjects like science interesting. CM Narendra Modi can take initiative and build world class museums not only science museums but other museums as well to show the country.

    Schools can take initiative like they can prepare mini-museums in their premises. Every year students make science projects, reduce the number of projects, ask them to prepare models, maintain them. Even if all schools from single city can take this initiative within three years, we can have good number of models which would be helpful to future generations. Instead of Money, we require vision.

    nayan

    ReplyDelete
  7. Harshalji,
    Once again, you have brought the right subject with correct reasons and loop holes.
    I think, alongwith government- parents too are responsible for the lack of science's proper education, they are more interested in marks which they think leads to high pay scales (this is particularly true for Gujaratis)
    Moreover, we as Indian are not so keen to preserve or study history,science or any other knowledge field.
    Some one has pointed out necessity for Urinals-so correct, I feel shame when ladies have to look for dark avenue as they cant be so shameless like man but it is too much to expect from politicians or any so called Bapu-Sant-Guru too. May God give them true sense some day.

    ReplyDelete
  8. It takes a only an action to get someone's attention...

    We can all talk about how things should be and could have been and what more could be done....whether ISRO should have moon missions or that money should be put forward to good use for the public. But the thing is, as long as no one takes an action..as long as no one fears what the outcome will be (if you want to help public in such way)...nothing will happen till that time...

    No one has to wait for emerging leader to come up and say something..but rather a normal average person can make a change...that is the point of having democracy...so that your thoughts and actions are heard everywhere and people pay attention to it..it takes radical ideas..behavior and most of all believing in yourself and actions you are about to take..

    Imagine what it took all those revolutionaries to free India from the paws of British Government..based on that notion..our spirit should ever be more filled with enthusiasm, creativity, responsibility, persistence, confidence, trust, and most of all believing what you think is right and not be afraid of the consequences...

    A saying from Ghandhiji inspires me every time I read it...

    "Hesitating to act because the whole vision might not be achieved or others do not yet share it, is a sign that only hinders progress.."


    So what does this mean...take a leap..don't be afraid..
    as long as nothing is being done..the more of it wouldn't be done in the future as well...India can become great superpower but only until people take actions without fear..till then things will stay the way they are..

    Sometimes it depends on individual person as to how much they are inspired by fascinating notions of science and its impact on people worldwide..but this is a general thing (Science and technology) and there is no substitute for it..it gives us an understanding of the world we live in and our place in the universe..it has to be understood in order to have stable and peaceful society..so that others can prosper.....
    otherwise it wouldn't be long before we see another dark age of ignorance and destruction...

    ReplyDelete
  9. Hharshalbai, I think all these debates are unuseful without puting it in practical.we should start it from our home and neighbourhood.I have started it from sometimes.

    ReplyDelete
  10. Hi,
    Recently there is very good movie launched [still in cinema] on the current Indian Education system, 3 idiots. which gives message to viewers that to get knowledge and implement is more important than a degree [Even Dr. Vikram Sarabhai has never gone to any school, he learned at his home only] also the burden on the students.
    I humbly requests 'Safari' to write an article on 'Montessori method' of teaching. Where students are allowed to learn subjects of their interest in very interactive manner and student friendly.
    I know that only 'Safari' can understand and explain this method in a best way.

    Please at least reply to my comment or mail me @ mirage.roger86@gmail.com

    ReplyDelete
  11. i do support your views and appreciate the way as an editor and publisher you concern the subject.

    ReplyDelete
  12. I dont know if its a right place to ask (bt i indeed know that you are the right person to ask)
    In the last line of this article,Shitla word is discussed...
    In gujarat people celebrate the SHITLA SATAM day berore Janmashtami,Does that have any relation with flu?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya