ગુજરાતની ચૂંટણીઃ અજેન્‍ડા આક્ષ્‍ોપબાજીનો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ‍ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી.

વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત આક્ષેપોનો મારો ચલાવ્યો. દાખલા તરીકે જૂનાગઢ ખાતેની સભામાં પ્રદેશ કોંગ્રેસના વડાએ તેમને વાંદરા તરીકે ઓળખાવ્યા. મુખ્ય મંત્રીને રાવણ તથા ઉંદર પણ કહેવામાં આવ્યા, જ્યારે અગાઉ કોંગ્રેસે તેમને ૨૦૦૨ની સાલના હિટલરનો અને મૌત કા સોદાગરનો શિરપાવ આપેલો તે સૌને યાદ છે. (મુખ્ય મંત્રી ખુદ પણ બેએક વખત વિષયલક્ષીને બદલે વ્યક્તિલક્ષી આક્ષેપો કરી પ્રમાણભાન ચૂક્યા છે).

રોજગારી, સંતોષકારક જીવનધોરણ, રસ્તા, અવિરત વીજપુરવઠો, પાણી, સ્વાસ્થ્યવ્યવસ્થા વગેરેની અપેક્ષા રાખતા ગુજરાતના મતદારોને ‘હિટલર’ જેવાં લેબલો જોડે આખરે શી લેવાદેવા? મતદારોને તો ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ’ અર્થાત્ પરિણામલક્ષી વહીવટકર્તા હોય એવો નેતા મળવો જોઇએ. ઉપરાંત ચૂંટણી ટાંકણે આડેધડ રીતે આપી દેવાતાં આવાં લેબલોમાં વજૂદ કેટલું એ પણ નક્કી કરવું રહ્યું. દાખલા તરીકે હિટલર જોડે મુખ્ય મંત્રીને સરખાવતી વખતે એમ કહેવાયું કે તેમણે ૨૦૦૨ના ગોધરાકાંડ પછી લઘુમતી કોમ પર અત્યાચાર કરવા માટે હિટલરની જેમ છૂટો દોર આપતા હુકમો જારી કર્યા. હકીકતમાં એ વખતે જેમને તૈનાત કરાયેલા એ સેન્ટ્રલ રિઝર્વ પુલિસના તથા લશ્કરના જવાનોને આદેશ ફરમાવવાનો રાજ્યના મુખ્ય મંત્રીને અધિકાર નથી. માત્ર રાજ્યની પુલિસને તેઓ સૂચના આપી શકે છે. આમ છતાં રાજ્યનો પણ રખે એકાદ પુલિસ અફસર હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવાની સૂચના ન પાળે તો મુખ્ય મંત્રી તેને બરતરફ કરી શકે નહિ, જ્યારે હિટલર એવી ‘ગેરશિસ્ત’ બદલ મોતની સજા આપતો તે સૌ જાણે છે. જાણીતી વાત એ પણ છે કે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસીઓ નિર્દોષ શીખો પર તૂટી પડ્યા ત્યારે દિલ્હીનું પુલિસતંત્ર નિષ્ક્રિય રહ્યું અને કોંગ્રેસી ટોળાંએ ૭૨ કલાકમાં ૨,૭૦૦ શીખોને રહેંસી નાખ્યા.

આ દલીલને મુખ્ય મંત્રીની તરફેણનું બચાવનામું ગણી લેવાની જરૂર નથી, કેમ કે વાતનો કેંદ્રીય ધ્વનિ સાવ જુદો છે. ગુજરાતમાં છેલ્લાં દસ વર્ષ એકેય કોમી રમખાણ વગર શાંતિમય રીતે વીત્યાં છે, માટે ગોધરાના વિવાદને ભૂલી વિચારવાનું એ રહે કે ગુજરાતને કાર્યક્ષમ, સ્વચ્છ, વિકાસલક્ષી અને પારદર્શક વહીવટ આપી શકે તેવો રાજકીય પક્ષ કયો ? વીજપુરવઠો, જળવ્યવસ્થા, શૈક્ષણિક સુધારા, રસ્તાનું નેટવર્ક, બંદરવિકાસ, રોજગારીની તકો વગેરેને લગતી વધુ સારી બ્લૂપ્રિન્ટ કયા પક્ષ પાસે છે ? 

બ્લૂપ્રિન્ટના નામે ચૂંટણીઢંઢેરામાં થોકબંધ વાયદાઓ આપી દેવાય એ પૂરતું નથી, બલકે તે વહેવારુ હોવી જોઇએ અને જે તે પક્ષે આર્થિક દ્રષ્ટિકોણે તેનું અંકગણિત સ્પષ્ટ કરવું જોઇએ. આ વખતે ગુજરાત કોંગ્રેસે ૧૨મું ધોરણ પાસ કરી ચૂકેલા લાખો વિદ્યાર્થીઓને લેપટોપની ભેટનો અને મહિલાઓને ‘ઘરનું ઘર’ની ભેટનો વાયદો આપ્યો છે, પણ તે માટેના અબજો રૂપિયા ક્યાંથી આવવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. ભાજપે પણ આક્ષેપબાજી પડતી મૂકી તેના વાયદાઓ અંગેનું સ્પષ્ટીકરણ આપવું જોઇએ.

Comments

  1. જયદેવ ગજેરાDecember 15, 2012 at 6:51 PM

    કોંગ્રેસે લેપટોપ અને ઘરની ભેટનો વાયદો આપ્યો છે એ વાયદો જ ત્રાસજનક છે. કરદાતાઓની મહેનતની કમાણીમાંથી ચૂકવાયેલા કરને સાર્વજનિક વિકાસ કાર્યોમાં વાપરવાને બદલે આવી લ્હાણી કરવી એ દલા તરવાડીની માનસિકતા છે.
    ખરેખર તો કોંગ્રેસ આવી લાલચો આપીને સમાજના વર્ગો વચ્ચે વિગ્રહ ઉભો કરી વોટ બેન્કનું રાજકારણ કરતી આવી છે. સાર્વજનિક વિકાસ કાર્યોનુ આયોજન કરી સર્વાંગી લાભ થાય એના બદલે બીજાના ખોટે એકને લાભ એવી "ઝીરો સમ ગેમ" રમત જ તેનાં દિમાગમાં આવે છે.
    આ વખતનું ઊંચું મતદાન આ બાબતને અનુલક્ષીને જ થયું છે. ઝીરો સમ ગેમને બદલે "વિન વિન ગેમ" જ ઉપર આવશે.

    ReplyDelete
  2. Harshalbhai,
    I wanted to put a comment on the above three comments but you removed them. I think you should be more open minded on what is happening in Gujarat before writing such articles. See a very relevant article:

    http://www.rediff.com/news/slide-show/slide-show-1-gujarat-riots-a-decade-later/20120315.htm

    - Animesh

    ReplyDelete
  3. Dear Animesh !
    Its matter of common sense, If you go through the events which are responsible for the 2002 incidents. you will go through the heroic incidents of Ahmedabad, Bangalore, Jaipur, Delhi, Mumbai . . and so on. You will also reach the 1993 mumbai blasts and 1992 Babri incident and further you will reach at mughal Sultanate in Indian history.
    You have to accept the simple fact that if out of 100 people there are 80 Hindus and 14 muslims in India then obviously 10 hindu temple to 2 muslim mosque will be there, what wrong with this ?
    We are not biased to any religion but why you are behind only one writer who can not see beyond some limit !!
    And after the results of Gujarat State Election people have shown their thought and their choice of governance.
    Now they will also show their choice in General Election. If we are lucky enough congress will go in 2014 itself !!
    Congress is curse for India and let Congress down forever.
    Jai Hind .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya