ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’

બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’

આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિઝનેસ મોડલ આજે વધુ-ઓછે અંશે આવું જ છે. દર થોડા અંકે તેમની વેચાણકિંમતમાં બઢૌતી થતી જાય છે અને સામે પાનાંની સંખ્યામાં કટૌતી આવતી રહે છે. ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયે દૈનિકોમાં તેમજ સામયિકોમાં જાહેરાત સામે માહિતીની ટકાવારી ૪૦% વિરુદ્ધ ૬૦% નક્કી કરી છે. મતલબ કે અંકનાં કુલ પાનાં પૈકી જાહેરાતનાં પેજ વધુમાં વધુ ૪૦% હોય ત્યાં સુધી ચાલે; પરંતુ બાકીના ૬૦% પાનાં નક્કર માહિતી માટે રિઝર્વ રાખવા જરૂરી છે. આજે દેશના અનેક સામયિકોએ પેલી ૪૦-૬૦ની ટકાવારી રિવર્સ કરી દીધી છે. પ્રકાશનને લગતી નીતિમત્તાને તેને કારણે બટ્ટો લાગ્યો છે.

આ માયૂસીભર્યા વાતાવરણમાં જો કે અમુક અપવાદરૂપ સામયિકો તેમજ અખબારો પણ છે, જેમણે પોતાની નીતિમત્તાને તેમજ વાચકો પ્રત્યેની વફાદારીને સહેજ પણ આંચ આવવા દીધી નથી. આવો એક દાખલો મૈસૂરુ શહેરથી પ્રગટ થતા ‘âéÏ×æü’ નામના ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિકનો છે. જુલાઇ, ૧૯૭૦માં કે. એન. વી. આયંગર નામના સંસ્કૃત વિદ્વાને તેનું પ્રકાશન સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના તેમજ તેનો પ્રસાર કરવાના સુવિચાર સાથે શરૂ કર્યું હતું. સાડા ચાર દાયકાથી તે નિયમિત પ્રગટ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમય થયે પ્રકાશન વધુ ને વધુ નાજૂક સ્થિતિમાં મૂકાતું જાય છે. ‘âéÏ×æü’નો વાચકગણ અઢી-ત્રણ હજાર જેટલો મર્યાદિત છે. નવા વાચકો તેને મળતા નથી--અને ન મળવાનું કારણ સ્વાભાવિક છે. ૨૦૦૧ની સાલના સરકારી ફિગર મુજબ દેશની સવા અબજની વસ્તીમાં માંડ ૧૪,૧૩૫ જણા સંસ્કૃતના જાણકાર છે. આ મુઠ્ઠીભર લોકો પૈકી વળી તમામને ‘âéÏ×æü’ દૈનિકમાં રસ પડે એ પણ જરૂરી નથી. આમ, બહુ સીમિત વાચકગણ સાથે ‘âéÏ×æü’નું પ્રકાશન થઇ રહ્યું છે. આ દૈનિકને પગભર રાખવા માટે દરરોજ રૂા.૨,૦૦૦ની સાવ મામૂલી રકમની જાહેરખબરો મળવી જોઇએ, છતાં એટલી પણ મળતી નથી. પરિણામે દૈનિકનો નિભાવખર્ચ વધવાને કારણે કેટલાંક વર્ષથી ‘âéÏ×æü’ સતત ખોટ કરી રહ્યું છે. આમ છતાં કહેવું પડે ‘âéÏ×æü’ના વર્તમાન સંચાલક કે. વી. સંપતકુમાર માટે કે જેમણે પ્રકાશન અટકાવ્યું નથી. વાચકો પ્રત્યેકની વફાદારીનો તેમજ મૂલ્યનિષ્ઠ પ્રકાશનનો સંપતકુમારે શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે.

âéÏ×æü’નું પ્રકાશન ચાલુ રહે એ ખાતર સંપતકુમારે દિલ્લીનાં સરકારી કાર્યાલયોમાં વારંવાર મદદની ટહેલ નાખી, પણ એકેયનો જવાબ ન મળ્યો. હતોત્સાહ થયેલા સંપતકુમારે આખરે દેશવાસીઓની સહાયતા માગી રહ્યા છે. સંસ્કૃત જાણતા લોકોને તેમણે ‘âéÏ×æü’નું રૂા.૪૦૦નું વાર્ષિક લવાજમ ભરવા માટે અપીલ કરી છે. સંસ્કૃતનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને (http://sudharma.epapertoday.com/donate વેબસાઇટ દ્વારા) યથાશક્તિ ડોનેશન આપવા માટે વિનંતી પણ કરી છે. સંપતકુમારની અપીલને તેમજ વિનંતીને પ્રતિસાદ મળે તેવી આશા રાખીએ, કેમ કે ભારતના એકમાત્ર સંસ્કૃત દૈનિકને જીવતું રાખવા માટેની મદદનો તે કદાચ છેલ્લો S.O.S. સંદેશો છે.

જોયું ? આરંભના કિસ્સામાં અને ‘âéÏ×æü’ના કિસ્સામાં કેવો ગજબનાક કોન્ટ્રાસ્ટ છે ! વ્યવસાયિક પ્રકાશન અને મૂલ્યનિષ્ઠ પ્રકાશન વચ્ચેનો તફાવત એ કોન્ટ્રાસ્ટમાં વ્યક્ત થાય છે.

Comments

  1. અભિનંદન યથા રાજા તથા પ્રજા.પશ્ચિમ ની સંસ્કૃતિ આપણી ભાષા ને ખાઇ જશે.

    ReplyDelete
  2. Saheb delhi to su gujarat na mahiti khatini pan jaher khabar leva mate paisa apva pade 6 ne khota newspaper k j matra file mate j chapai 6 temne govt jaher khabar allot kare 6 hu aa babat no jivto jagto dakhlo 6u
    Amara prakashan ma pan davp k mahiti khata advt mate approval na apyu kahe 6 k mantrio na news chapo to api a lyo bolo..

    ReplyDelete
  3. Aaj rite varsho thi chaltu ane dharmo na lekho ne sastu banavtu "Gita Press, gorakhpur " pan bandh thava na are che

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya