ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.
 
આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગારનું માત્ર પ્રધાનપદું ભોગવીને તેમણે Rs.૨૬૩ કરોડનો દલ્લો શી રીતે એકઠો કર્યો તેનો ખુલાસો વડા પ્રધાનના કાર્યાલયે મૂકેલી વેબસાઇટમાં મળતો નથી.
 
વધુ ઘેરું રહસ્ય હોય તો કેંદ્રના પ્રધાનોની સંપત્તિમાં આવેલી ઝડપી બરકતનું, જેને ફિલ્મી ભાષામાં વન ટુ કા ફોર કહો તો ચાલે. મે, ૨૦૦૯માં પ્રધાનદીઠ મિલકતનો સરેરાશ ફિગર Rs.૭.૩ કરોડ હતો, જે માત્ર ૨૮ મહિના પછી ઓગસ્ટ, ૨૦૧૧માં એવરેજ Rs.૩.૩ કરોડના વધારા સાથે Rs.૧૦.૬ કરોડની સપાટીએ પહોંચ્યો. વિશેષ ધ્યાન ખેંચનાર અને દરેક ધંધાદારી અકાઉન્ટન્ટ માટે વિચારપ્રેરક દ્રષ્ટાંત પ્રફુલ્લ પટેલનું લેખાય, જેમણે મે, ૨૦૦૯ની ચૂંટણી વખતે એફિડેવિટમાં પોતાની અસ્કયામતો Rs.૭૯ કરોડ હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૧ના ઓગસ્ટ સુધીમાં તો તેમણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતો વધારીને Rs.૧૨૨ કરોડ જેટલી કરી નાખી. સાદી ગણતરી માંડો તો જણાય કે વચગાળાના ૨૮ મહિનામાં તેમની આવકનું મીટર રોજના Rs.૫,૦૦,૦૦૦ કરતાં વધુ દરે ફર્યું. આ બધો સમય તેઓ નાગરિક ઊડ્ડયન ખાતાના પ્રધાન હતા.
 
આશ્ચર્યના બીજા આંચકા માટે તૈયારી રાખો. પ્રફુલ્લ પટેલની સંપત્તિમાં ૫૩%નો વધારો જો માનો યા ન માનો જેવો જણાતો હોય તો ૧૦૯૨%ના વધારા અંગે શું માનો છો ? કેંદ્ર સરકારના એસ. જગતરક્ષકન નામના મંત્રીએ ૨૦૦૯માં ચૂંટણી વખતના સોગંદનામા મુજબ પોતાની મૂડી Rs.૫.૯ કરોડ બતાવી હતી. ૨૦૧૧માં તેમનો એ જુમલો રોકેટવેગે વધીને Rs.૭૦ કરોડે પહોંચ્યો. ધનભંડારમાં તેમણે રોજેરોજ સરેરાશ Rs.૭,૬૨,૦૦૦ ઉમેર્યા. જુનિઅર પ્રધાન મિલિંદ દેવરાને તેમણે ક્યાંય ભોંઠાં પાડી દીધા, કારણ કે દેવરાએ રોજના લગભગ Rs.૧,૯૦,૦૦૦ કરતાં વધુ ગજુ કાઢ્યું નહિ. બીજા જુનિઅર પ્રધાન રાજીવ શુક્લનું ગાડું દૈનિક Rs.૨,૬૦,૦૦૦ પાસે અટક્યું.

આ બધા જાજરમાન આંકડા જોયા પછી સવાલ એ થાય કે સરકારને દૂધે ધોયેલી જાહેર કરવા વડા પ્રધાને દાખવેલી પારદર્શકતામાં ખરેખર પારદર્શક જેવું શું છે ? પ્રધાનોની આંજી દેતી સંપત્તિ પ્રજાની નજર સામે આવી છે, પણ આવકના કયાં સાધનો દ્વારા સંપત્તિનો ખડકલો કરાયો તે જાણવાનો પ્રજાને અધિકાર ખરો કે નહિ ? પાયાનો સવાલ તો એ છે. સવારથી સાંજ લગી કેંદ્ર સરકારના મંત્રાલયમાં (અને વચ્ચે ક્યારેક પાર્લામેન્ટમાં) બેસી રહેતો પ્રધાન રોજના પાંચ-સાત લાખ રૂપિયાની ટંકશાળ કેવી રીતે પાડે એ પ્રજાએ જાણવું રહ્યું અને સરકારે જણાવવું રહ્યું. ખાસ કરીને એવા માહોલમાં કે જ્યાં (ડો. અર્જુનસેન ગુપ્તા કમિટિના રિપોર્ટ મુજબ) ૮૩.૬ કરોડ લોકોને રોજની Rs.૨૦ થી વધુ આમદાની મળતી નથી.

Comments

  1. ઓહો દેશ ખરેખર 'પ્રગતિ' કરી રહ્યો છે! આંકડાકીય વિગતો ભારે રસપ્રદ છે!

    ReplyDelete
  2. દેશ પ્રગતિ તો કરી રહ્યો છે પણ તેનો લાભ દેશ ચલાવનાર લોકો ને જ મળી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જનતા એ જાગૃત થઇ ને પગલા લેવા જ પડશે
    હવે કામ કરવા માટે આપવી પડતી લાંચ રિશ્વત બંધ કરવી જ પડશે.
    જય હિન્દ
    સત્યમેવ જયતે

    ReplyDelete
  3. Lies, damned lies, and statistics - Mark Twain
    જૂઠ્ઠાણું, હળાહળ જુઠ્ઠાણું અને સરકારના આંકડા.

    જે સરકાર આંકડાશાસ્ત્રમાં ગોલમાલ કરી પ્રજાને મૂર્ખ બનાવતી હોય તે પોતાના આંકડા પણ ક્યાં સારી રીતે રજૂ કરવાની છે?

    Mark Twainની આ ઉક્તિ ઘણુ બધુ કહી જાય છે કે Statistics એટલે પ્રજાને મૂર્ખ બનાવવાના આંકડાથી વિશેષ કંઇ નહી.

    હર્ષલભાઇ શું તમને લાગે છે કે ખરેખર ભારતમાં આટઆટલા લોકો દિવસના ફક્ત રૂા.20 કમાઇને જીવતા હશે. અને જો હોય તો તેમના માટે કોંગ્રેસ સરકારે 50 વર્ષમાં શું કર્યુ?

    ReplyDelete
  4. pehla aapna neta kaik bani jay pa6i te desh ni pragti mate vichar karshe .......

    ReplyDelete
  5. aapna desh ni pragti ma aava nete o j aade aave 6.....

    ReplyDelete
  6. that's congress ,and main reason why they not accepting janlokpal....and also not opening names of swiss bank account...!!!

    ReplyDelete
  7. harshal sir aa list na top players to sonia gandhi & company che. Jeni dekh-rekh niche aa neta o atlu kamaya hoy te pote ketalu kamaya hashe?Direct naam to aa gandhi family nu kem koi letu nathi e samjatu nathi.Bas have aa royal family ne kadho koi congress mathi. Evu lage che aa desh ma 40-50years thi raja shahi chali rahi che. But now its time to say bye bye to this royal family.Nice article sir U always make me think.

    ReplyDelete
  8. Not only Congress but other political parties have also got their hands full of corruption.

    I remember one famous saying in Gujarati:
    "Lobhiya vase tyan Dhutara bhukhe na mare".

    These all corrupt politicians thrive upon Bribes being thrown into various government departments by gridy business class and other evils of society.

    Evils of society enjoy the corruption regime not because they are capable to do so!! It is because of silence of the good people and lack of unitiy among them.

    We all need to think and ACT!!!

    Jai Hind!

    ReplyDelete
  9. kaik karu pade yar sav awu na chale......
    ato khulle am lut j kehway.....
    some steps shoud be taken.....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya