Posts

Showing posts from May, 2020

ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્‍ચે યુદ્ધ સળગ્યું...

Image
લદ્દાખનો લશ્‍કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો? મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ? આલેખનઃ હર્ષલ પુષ્‍કર્ણા બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્‍કર માટે છેલ્‍લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્‍ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ? દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્‍યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્‍વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્‍નેની વ્‍યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્‍યાણ તો જાણે થવાથી રહ્ય

હીટ વેવઃ ઉનાળામાં દાઝ્યા પર ડામ દેતી ગ્રીષ્‍મ લહેરનું વિજ્ઞાન

Image
ભારતનાં અમુક સ્ ‍ થળોને ધગધગતી ભઠ્ઠી બનાવી દેનાર કાળઝાળ ગરમીનો જુવાળ જાનલેવા કેમ નીવડી શકે? આગામી દિવસોમાં હીટ વેવને કારણે ઉત્તર ભારતનાં ઘણાં સ્ ‍ થળે તાપમાન ૪૭ અંશ સેલ્ ‍ શિઅસને પાર થઈ જવાનું છે. આથી હવામાન ખાતાએ ‘રેડ એલર્ટ’ જારી કરીને સ્ ‍ થાનિકોને બપોરે ૧થી પ ધોમ તડકામાં ન નીકળવાની સલાહ આપી છે. ---------------------------- કોણ કેટલું બળવાન? એ શીર્ષક હેઠળ લખાયેલી પેલી બાળવાર્તા યાદ છે કે જેમાં પોતાની બળુકાઇ સાબિત કરવા માટે પવન અને સૂર્ય વચ્ ‍ ચે ગજગ્રાહ ચાલે છે? પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન અને સૂરજ કહે મારી આગળ તારી કશી વિસાત નહિ. બન્ ‍ ને વચ્ ‍ ચે ચડસાચડસી ચાલતી હતી એ વખતે તેમણે પૃથ્વી પર પગપાળા નીકળેલા એક મુસાફરને દીઠો. મુસાફરે પોતાના શરીરે શાલ ઓઢી હતી. સૂરજે પવનને કહ્યું, ‘આ મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન! બોલ, છે કબૂલ?’ પવને કહ્યું, ‘મંજૂર!’ મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડી દેવા માટે પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાયો, મુસાફરે એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટી રાખી. પવને લાખ પ્રયત્ ‍ નો કર્યા, પણ શાલ ઉડાડવામાં સફળતા ન

લદ્દાખમાં ભારત-ચીન વચ્‍ચે ખાંડાં કેમ ખખડ્યાં?

Image
૧૯મી સદીથી લટકતા અક્સાઇ ચીનના સરહદી વિવાદના મધપૂડા તરફ ચીને ફરી કાંકરો નાખ્‍યો છે મે પ તથા મે ૧૨ના રોજ ચીનના સૈનિકો, હેલિકોપ્‍ટર તથા પેટ્રોલ બોટ લદ્દાખના ગલવાન તથા પેંગોંગ સરોવરના ભારતીય પ્રદેશમાં ઘૂસ્‍યા ત્‍યારે ભારતીય સેનાએ ભરેલું જવાબી પગલું આવકારદાયક હતું ------------------------- અમેરિકન સૈન્‍યમાં ૧૯૦૩થી ૧૯૬૪ સુધી સેવા આપનાર અને તે લાંબા સમયફલકમાં ૧૧ ભીષણ યુદ્ધો લડનાર ફીલ્ડ-માર્શલ ડગ્‍લસ મેક્આર્થરે કહેલું, “It is fatal to enter a war without the will to win it.”/ ‘જીત મેળવવાના દૃઢસંકલ્‍પ વિના યુદ્ધમાં ઝંપલાવવું પ્રાણઘાતક નીવડે છે.’ આ વાક્ય ભારતે ૧૯૬૨માં ચીન સામે અરુણાચલ પ્રદેશ તથા લદ્દાખના મોરચે ખેલેલા યુદ્ધના કેસમાં સાચું ઠર્યું હતું. યુદ્ધમાં જીત મેળવવાનો સંકલ્‍પ તો દૂર રહ્યો, યુદ્ધ લડવામાં જ તત્‍કાલીન સરકારે તેમજ લશ્‍કરના ઉચ્‍ચ અધિકારીઓએ ભારોભાર નીરસતા દાખવી હતી. શત્રુ સામે લડવા માટે લશ્‍કરને મારકણાં શસ્‍ત્રો જોઈએ તેમ સીનિઅર અધિકારીઓ તરફથી સતત જોમજુસ્‍સાનો બૂસ્ટર ડોઝ પણ જોઈએ. પરંતુ ૧૯૬૨ના યુદ્ધમાં આપણા જવાનોને એ બન્‍ને બાબતોની ખોટ સાલતી હતી. આ સંદર્ભે ભારતીય લશ્‍કરના નિવૃત્ત અફ

ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનઃ ગુમાવેલું કાશ્‍મીર પરત લેવાના પ્રયાસો શરૂ?

Image
કાશ્‍મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’ દેશને આઝાદી મળી ત્‍યારે કાશ્‍મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્‍લી ઘડીએ એવું શું બન્‍યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્‍તાનની છાબડીમાં ખરી પડ્યો?  ભૌગોલિક રીતે કાશ્‍મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્‍મીરના વાંકે પા‌કિસ્‍તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્‍મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્‍યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્‍ય રત્‍નો ખરી પડ્યાં છે તે જુઓઃ  ■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્‍મુ-કાશ્‍મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્‍યારે રાજ્યનો કુલ વિસ્‍તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્‍તાની હુમલાખોરો કાશ્‍મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્‍કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્યા હતા ત્‍

આત્‍મનિર્ભરતાઃ અર્થ, અર્થબોધ અને અર્થશાસ્‍ત્ર

Image
આત્‍મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્‍યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ રાજકારણનાં ચશ્‍માં પહેર્યાં હોય તો અત્‍યારે જ ઉતારી દેજો, કેમ કે અહીં રજૂ થતો મુદ્દો અર્થકારણનો છે. દેશાભિમાન, સ્‍વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીને ઢંઢોળતી વિચારપ્રેરક બાબતોનો પણ છે.  સદીઓ પહેલાં ભારતવર્ષની આર્થિક સમૃદ્ધિ કેવીક હતી તેને વ્‍યક્ત કરવા માટે ગીતકાર રાજેન્‍દ્ર કૃષ્‍ણએ ‘ડાલ ડાલ પર સોને કી ચીડિયા’ જેવા અલંકારિક શબ્‍દો વાપર્યા હતા. કવિ-ગીતકારો રહ્યા શબ્‍દોના સ્‍વામી, એટલે અર્થશાસ્‍ત્રમાં તેમની ચાંચ (ખરેખર તો કલમ) ડૂબે નહિ. પરંતુ એકાદ અર્થશાસ્‍ત્રીને ભારતવર્ષના ભૂતકાલીન સુવર્ણયુગનું વર્ણન કરવા જણાવ્યું હોય તો તેની નક્કર આંકડાકીય રજૂઆત કંઈક આમ હોયઃ ***ભારતનું અર્થતંત્ર જ્યારે આત્મનિર્ભર હતું*** ■ સત્તરમી સદીના ઉત્તરાર્ધથી લઈને અઢારમી સદીના પ્રારંભ સુધી પોણા ભાગના હિંદુસ્‍તાન પર હકૂમત જમાવીને બેઠેલા  મોગલ વંશના બાદશાહ અૌરંગઝેબે ભારતીય પ્રજા પર વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા હતા. ટેક્સના નામે ભારતીયોનું આર્થિક શોષણ કરીને ઔરંગઝેબ વર્ષેદહાડે જે મહેસૂલી આવક મેળવતો તે રકમ તત્‍કાલીન વિનિમય