Posts

Showing posts with the label Media

ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

Image
એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’ બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’ આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિ...

ટેલિવિઝન ન્‍યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ

Image
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’ બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’ આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna! રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો. આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર ક...

પિક્ચર પરફેક્ટ-૨

Image
ટિવટર પર, ફેસબુક પર, અન્ય સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર તેમજ એસ.એમ.એસ. તેમજ ઇ-મેલ મારફત ભ્રષ્ટાચાર સામે લડી લેવાની વાતો કરનાર ભારતીય પ્રજાને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે કેટલી નિસ્બત ? જવાબ માટે રીસર્ચ અભિયાન ઉપાડવાની જરૂર નથી. નીચેની તસવીરમાં ટુ-ધ-પોઇન્ટ જવાબ મળી રહે છે.   આપણે ત્યાં કલમને તલવાર કરતાંય ધારદાર ગણવામાં આવે છે. અમુક તસવીરો જો કે કલમને સાવ બુઠ્ઠી પૂરવાર કરે તેવી હોય છે--આમ છતાં તે યોગ્ય કદર પામતી નથી. કદાચ એટલા માટે કે ફોટોજર્નાલિઝમ આપણે ત્યાં હજી ઘોડિયામાં છે. કે પછી કલમબાજોએ તેમજ પ્રકાશકોએ તેને ઘોડિયામાં જ ગોંધી રાખ્યું છે?   જે હોય તે, પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેલ્લા પંદર દિવસમાં જે માહોલ સર્જાયો તેનો સાર એક જ તસવીર આપી દે છે. તસવીરકાર રાઉલ ઇરાનીની ઉપરોક્ત તસવીરને શું લેબલ મારવું જોઇએ ? In a nutshell ? તસવીરકાર: રાઉલ ઇરાની.  તસવીર સૌજન્ય: ઓપન

સ્વાઇન ફ્લૂઃ આમ ફેલાયો હાહાકારનો હાઉ

સંપાદકનો પત્ર 'સફારી' September, 2009 મે, ૨૦૦૯માં મેક્સિકો ખાતે એકાએક ફૂટી નીકળેલો સ્વાઇન ફ્લૂનો વાયરસ અમેરિકા, કેનેડા તેમજ કેટલાક યુરોપી અને એશિયાઇ દેશોમાં ફેલાયા બાદ ગયે મહિને ભારત પર ત્રાટક્યો ત્યારે દેશભરમાં ભારે હાહાકાર મચ્યો. વર્ષેદહાડે જગતભરમાં ચારેક લાખ લોકોનો ભોગ લેતા ફ્લૂના સામાન્ય વાયરસ કરતાં સ્વાઇન ફ્લૂનો વાયરસ થોડા ઘણા અંશે જુદો છે. જૈવિક બંધારણ નોખું છે, એટલે માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર તે વાયરસ સામે લડત આપવામાં ક્યારેક અસફળ રહે છે. અહીં ‘ક્યારેક’ શબ્દ ચાવીરૂપ ગણવો રહ્યો, કેમ કે સ્વાઇન ફ્લૂનો ચેપ જેને લાગ્યો હોય એ દરેક દરદી મોતને ભેટે એવું નથી. વિશ્વમાં સ્વાઇન ફ્લૂનો ચેપ અત્યાર સુધી અંદાજે ૨,૭૦,૦૦૦ લોકોને લાગ્યો છે અને તે પૈકી લગભગ ૨,૪૦૦ જણા માટે વાયરસ ઘાતક નીવડ્યો છે. જર્મની, ચીન, પોર્તુગાલ, ગ્રીસ, ઇટાલિ, નોર્વે, ડેન્માર્ક, મકાઉ, તુર્કી, સર્બિયા વગેરે દેશોમાં સ્વાઇન ફ્લૂના કુલ ત્રીસેક હજાર કેસ નોંધાયા, છતાં જાનહાનિનો એકેય બનાવ બન્યો નથી. સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગના આગમનના પગલે લોકોમાં દેકારો મચે એ વાત સ્વાભાવિક છે. છતાં એ પણ ખરૂં કે ભારતમાં સ્વાઇન ફ્લૂને લઇને...