Posts

Showing posts with the label LoC

આર્મી સર્વિસ કોરઃ હોળી કે દિવાળી, તારે યુદ્ધ એ જ તહેવાર

Image
05-08-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય

Image
26-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

અંકુશરેખા પર ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે કોરોનાવાઇરસની પેશકદમીના પાકિસ્તાની ષડ ‍ યંત્ર સામે... 🇮🇳  ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ  💪 અંકુશરેખાની પેલે પાર પાકિસ્તાનનાં દેખી ન શકાતાં લક્ષ્યાંકોનું મોતી ભારતીય તોપચીઓ કેવી રીતે વીંધી નાખે છે? ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ માર્ચ, ૨૦૨૦થી આખું જગત જ્યારે કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે ત્ ‍ યારે પાકિસ્તાને ભારત માટે લડાઈનો વધુ એક મોરચો ખોલી દીધો છે. એક મહિનાથી પાકિસ્તાની ખુશ્કીદળ જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થતી અંકુશરેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) પર તૈનાત આપણી લશ્કરી ચોકીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ ભીષણ તોપમારો તથા ગોળીબાર કરી રહ્યું છે. અંકુશરેખા પર આમેય બે દેશો વચ્ ‍ ચે ગરમાગરમીનો માહોલ હોય, પરંતુ મહિના દિવસથી પાકિસ્તાને ફાયરિંગ વધારી દીધા પછી રીતસર ધમાચકડી મચી છે. આપણા જવાનો દુશ્મનને બહુ કઠોર અને કરારો જવાબ આપી ચૂક્યા છે. હજી આપી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય કે આખું જગત જ્યારે કોવિડ-૧૯ના ભરડામાં સપડાયું છે ત્યારે પાકિસ્તાને અંકુશરેખા પર ઓચિંતું ફાયરિંગ શા માટે વધારી દીધું? થોડીક પૂર્વભૂમિકા સાથે આનો જવાબ તપ...

પહાડી ચોકીઅોમાં કઠોર ‌શ‌િયાળા (અને સરકારની કઠોરતા) સામે ઝઝૂમતા જવાનો

Image
કા શ્મીર સરહદે દ્રાસનાં, બટાલિકનાં અને કારગિલનાં સરેરાશ ૧૫,૦૦૦ ફીટ ઊંચાં શિખરો પર ભારતે ઠેર ઠેર સુરક્ષા ચોકીઓ સ્થાપી છે. દરેકમાં ૪ થી ૬ સશસ્ત્ર જવાનો તૈનાત રહે છે અને અંકુશરેખા પર દિવસરાત ચાંપતી નજર રાખે છે. આ ચોકીઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે એટલી મહત્ત્વની છે કે ખુશ્કીદળના જવાનો તેમાં ૩૬૫ દિવસ રહે છે. પહાડી ચોકીઓ તેમનું બીજું ઘર બન્યું છે એમ કહેવું ખોટું નહિ. સંજોગો ભલે ગમે તે હોય, પણ ચોકીઓને ક્યારેય રેઢી મૂકવામાં આવતી નથી. અહીં યાદ અપાવવાનું કે ૧૯૯૯ના શિયાળામાં આપણા જવાનો દ્રાસ, કારગિલ અને બટાલિક ખાતેની ચોકીઓ છોડી મેદાની પ્રદેશોમાં ઊતરી આવ્યા ત્યારે પાક ઘૂસણખોરોએ ગુપચુપ તે સૌમાં કબજો જમાવી લીધો હતો. આ તમામ ચોકીઓ ત્યાર બાદ આપણા જવાનોએ કારગિલ યુદ્ધમાં લોહી રેડીને પરત મેળવી હતી. અંકુશરેખાની લગોલગ હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં બનાવવામાં આવેલી આપણી ચોકીઓ સરેરાશ ૧૫,૦૦૦ ફીટની ઊંચાઇએ છે. આ ગગનચુંબી ઊંચાઇએ હવા અત્યંત ઠંડી તથા પાતળી હોય છે. વળી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ ખાસ્સું ઓછું હોવાથી પ્રત્યેક શ્વાસે ફેંફસાંને મળતો ઓક્સિજનનો ઓછો પુરવઠો ચિત્તભ્રમ, ઉબકા, સરદર્દ જેવી તકલીફો પેદા કરે છે. શિ...

પાકને ભારતનો ફાયરબ્રાન્‍ડ પરચો : તોપનો અને ‌મિજાજનો !

Image
‘અચ્છે દિન’ના આગમન વિશે લોકોમાં જે પણ વિચારભેદ હોય તે ખરો, પરંતુ કમ સે કમ સંરક્ષણના મામલે તાજેતરમાં જોવા મળેલા સકારાત્મક બદલાવને પ્રત્યેક ભારતવાસીએ બિરદાવવો રહ્યો. કદાચ પ્રથમવાર એવું બન્યું કે જ્યારે આપણા સીમાવર્તી વિસ્તાર પર વિના કારણે છાશવારે ગોલંદાજી કરતા પાકિસ્તાનને ભારતે તેના એ કાંકરીચાળા નો જવાબ તેને સમજાતી ભાષામાં આપ્યો. ડિફેન્સની બાબતમાં હંમેશાં ‘શાંતિપ્રેરિત’ વિવશતા પ્રદર્શિત કરનાર વર્ષો પહેલાંના ભારતનું ચિત્ર તથા આજનું જુસ્સાપ્રેરિત પ્રતિકારનું ચિત્ર એ બન્ને વચ્ચેનો નાટ્યાત્મક વિરોધાભાસ નજર સામે આવ્યો. વિરોધાભાસના સામસામા દોન ધ્રુવ જોઇએ. વર્ષો પહેલાં ઓક્ટોબર, ૧૯૬૨માં લદ્દાખ તથા નેફા (અરુણાચલ) સરહદે ચીને આક્રમણ કર્યું એ વખતે મોરારજી દેસાઇ આપણા નાણાં મંત્રી હતા. સંરક્ષણ તેમનો વિષય નહોતો, પણ વિચારશક્તિ અને સમજશક્તિ અવશ્ય હતી. શસ્ત્રસજ્જ ચીનાઓ ભારતીય લશ્કરને કારમા ફટકા મારવા લાગ્યું ત્યારે મોરારજીભાઇએ દુશ્મનો પર મોટા પાયે હવાઇ અટેક કરવાની સલાહ આપી. અસરદાર રણનીતિ તરીકે સલાહ તાત્કાલિક અમલમાં મૂકવા જેવી હતી. ભારતીય વાયુસેના પાસે કેનબેરા, વામ્પાયર, હંટર, ઓરેગાન (તૂફાની) ...

Line Of Control: ભારતે જ્યારે કુહાડા પર પગ માર્યો!

Image
અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫ , ૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય.  કુલ ૪ , ૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છે , કેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે. ભારત-ચીનની ૩ , ૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશ , સિક્કિમ , હિમાચલ પ્રદેશ , ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે. નેપાળ તો ભારત સાથેની ૧ , ૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છે , જેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે.  ભ...