Posts

Showing posts with the label Finance

ગગડતા રૂ‌પિયાની પડતીમાં મલ્ટિનેશનલ કંપનીઓની ચડતી

Image
ઇ. સ. ૧૫૪૦થી ૧૫૪૫ સુધી દિલ્લી પર રાજ કરનાર મોગલ સમ્રાટ શેરશાહ સૂરીએ પહેલી વાર હિંદુસ્તાનમાં રૂપાનો જે સિક્કો બહાર પડાવ્યો એ તેમાં રહેલી નગદ રૂપેરી ધાતુને કારણે રૂપિયો કહેવાયો હતો. આ સિક્કા વડે તે જમાનામાં ૯૦ શેર ઘઉં અથવા ૫૪ શેર ચોખા કે પછી ૧૩૦ શેર ચણાની દાળ અગર તો ૧૦ શેર ઘી ખરીદી શકાતું હતું. (૧ શેર = આશરે અડધો કિલોગ્રામ). હવે એ સિક્કો ઐતિહાસિક ગણાય છે અને ફક્ત મ્યુઝિયમમાં શોભે છે, એટલે તેનું બજારમૂલ્ય આંકી શકાય નહિ. આમ છતાં તેને ત્રાજવે જોખીને ધાતુના ભાવે વેચી નાખવામાં આવે તો પણ લગભગ રૂા.૯,૫૦૦ ઉપજે, કેમ કે તેમાં ૧૭૫ ગ્રામ જેટલું નિર્ભેળ રૂપું હતું. આ દષ્ટિએ ભારતનો ૧ રૂપિયો આજના ૯,૫૦૦ નિકલછાપ રૂપિયાના સિક્કા બરાબર હતો. છેલ્લાં સાડા ચારસો વર્ષમાં રૂપિયો આટલો ઘસાયો છે. ઘસારો હજી પણ ચાલુ છે. પરિણામે વર્તમાન સંજોગોમાં રૂપિયાની ખરીદશક્તિનું જે રીતે અવમૂલ્યન થઇ રહ્યું છે તેની સામે રૂપિયાનો ભૂતકાળ પ્રમાણમાં સારો લાગે તે દેખીતું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યા પાછળ અને ઘરઆંગણે તેની ખરીદશક્તિ ઘટ્યા પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અહીં તેમના વિશે પિષ્ટપેષણ કર...

ઝીરો પરસેન્ટ ફાઇનાન્સના ‘ઝીરો’નું સસ્પેન્સ

આજથી વીસેક વર્ષ પહેલાં ભારતનું ડચકાં ખાતું અર્થતંત્ર ઉદાર આર્થિક નીતિના પાટે ચડીને દોડતું થયું એ પહેલાં દેશની પ્રજા પાવરસેવિંગમાં માનતી હતી. કમાણીનો પચાસ ટકા કરતાંય વધુ હિસ્સો લોકો બચતમાં રોકી દેતા હતા. ખિસ્સાખર્ચી માટે તેમનો જીવ કરકસરિયો હતો, એટલે શોપિંગનો તેમજ ઊંચી લાઇફસ્ટાઇલનો ચસ્કો તેમને ખાસ નહોતો. આજે સમીકરણો બદલાયાં છે. બચતનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ એ કે દેશની પ્રજાને શોપિંગ ફિવર લાગૂ પડ્યો છે અને તે ફિવરમાં રોજેરોજ વધુને વધુ લોકો સપડાતા જાય છે. ખૂલ્લા મને તેઓ ખરીદી કરતા થયા છે. ગઇ કાલ સુધી ‘ભોગવિલાસ’માં જે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો તે પૈકી અનેકને આજે ‘જરૂરિયાત’નું લેબલ લાગી ચૂક્યું છે. અમેરિકાની જેમ ભારતનુંય અર્થતંત્ર ક્રમશઃ consumer driven બની રહ્યું છે, જ્યાં રોટલી શેકવાની તાવડીથી માંડીને ટેલિવિઝન સુધીની consumer products/જીવનજરૂરિયાતની રોજિંદી ચીજવસ્તુઓ અર્થતંત્રનાં ચક્રોને ગતિમાન રાખવામાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. દેશના લોકો શોપિંગ કરે (અને તે બહાને નાણાં ખર્ચે) તે અર્થતંત્રના હિતમાં છે. ઉત્પાદક, વેચાણકાર અને ફાઇનાન્સ કંપનીઓ એમ ત્રણેયનું પણ હિત ...