ચીનની બરોબરી કરવા આવી રહ્યાં છે વાયુસેનાનાં બ્રાન્ડ-ન્યૂ યુદ્ધવિમાનો
ચીન સાથે બરાબરી કરી શકે એટલી સંખ્યામાં યુદ્ધવિમાનો વાયુસેના પાસે નથી નવાં આવી રહેલાં ૧૨૨ વિમાનો વાયુસેનાની તાકાત વધારશે એમાં શંકા નથી પ્રસંગ ચારેક વર્ષ પહેલાંનો છે, પણ લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલી લશ્કરી ખટપટ જોતાં આજે પણ એટલો જ સમયોચિત જણાય તેવો છે. ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપ નામના આંતરરાષ્ટ્રીય સંગઠનમાં જોડાવા માટે ભારતે ૨૦૧૬માં પ્રયાસો આદર્યા હતા. પચાસેક દેશોનું તે સંગઠન અણુઊર્જાને લગતા સરંજામના (યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિના) ખરીદી-વેચાણ પરનાં કાયદાકાનૂનો તેમજ નિયંત્રણો નક્કી કરવાની સત્તા ધરાવે છે. ભારત એ સંગઠનનું સભ્ય બની જાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે કેટલાક દેશોએ લાદેલા રાજકીય પ્રતિબંધોને લીધે છેલ્લાં સાડા ચાર દાયકા થયે મળ્યો નહોતો. ભારતને ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપમાં સ્થાન અપાવવા માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, રશિયા, ફ્રાન્સ જેવા દેશો તૈયાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતના મનસૂબા પર ટાઢું પાણી ફેરવી દીધું. સંગઠનન...