Posts

ભારતચીન યુદ્ધનાં ૫૦ વર્ષઃ ભારતીય શાસકો ત્યારે પણ ઊંઘતા હતા, હજી પણ નિદ્રાધીન છે

Image
આ મહિને ૨૦મી ઓક્ટોબરના રોજ ૧૯૬૨ના ચીની આક્રમણને ૫૦ વર્ષ પૂરાં થાય છે અને હજી આપણો ૩૭,૫૫૫ ચોરસ કિલોમીટર જેટલો લદ્દાખી પ્રદેશ ચીનના તાબામાં છે. હવે ચીન અરુણાચલ પ્રદેશ રાજ્યનો ૭૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે લેવા માટે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે, એટલે ત્યાંની મેક્મેહોન રેખા પર તેનું વહેલું મોડું જંગી આક્રમણ થાય એ બનવાજોગ છે. આ ખતરા બાબતે દિલ્હી સરકાર બિલકુલ નિશ્ચિંત કે પછી નિદ્રાધીન હોવાનું સૂચવતો દાખલો ગયે મહિને જોવા મળ્યો, જેણે ૫૦ વર્ષ પહેલાંના નેહરુની અક્ષમ્ય બેફિકરાઇની યાદ તાજી કરાવી દીધી. બન્યું એમ કે ખુશ્કીદળે શિખરમાળા ધરાવતી ૪,૫૦૭ કિલોમીટર લાંબી ભારતચીન અંકુશરેખા માટે ૬૦,૦૦૦ સૈનિકોની પહાડી corps/કોર તાકીદે રચવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આજે પચાસ વર્ષે પણ ૧૯૬૨ના ધબડકાનો કશો બોધપાઠ લેવા ન માગતી સરકારે તેને મંજૂર ન કર્યો. કઇ વાતે પંડિત નેહરુની યાદ આવી જાય તે અહીં જણાવવું રહ્યું. ચીની લશ્કર ૧૯૬૨માં ચડી આવ્યું, પણ સરહદે અહીં તહીં ઘૂસપેઠ તેણે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. કાશ્મીરના લદ્દાખ તેમજ આસામના નેફા પ્રદેશમાં તેની વધુ ને વધુ પેટ્રોલિંગ ટુકડીઓ દેખાવા માંડી ત્યારે ભારત...

એર ઇન્ડિયા: સરકારી ખીલે બંધાયેલો સફેદ હાથી

Image
એક મોજણી અનુસાર ભારતમાં જાહેરક્ષેત્રનાં સરકાર હસ્તક નાનાંમોટાં કુલ ૨પ૦ એકમો છે. આ પૈકી ૪૬ એકમો વર્ષો થયે ડચકાં ખાય છે અને વાર્ષિક કરોડો રૂપિયાની ખોટ કરે છે. અમુક એકમોના હિસાબી ચોપડે તો છેલ્લાં દસેક વર્ષમાં ક્યારેય નફો દર્જ થયો જ નથી, છતાં સિક યુનિટ જેવાં તે એકમોને સરકાર નિભાવી રહી છે. હકીકતે તેમનું ખાનગીકરણ કરીને સરકારે રોકડી કરી લેવી જોઇએ. પરંતુ જાહેર ક્ષેત્રનાં એકમો પર પોતાનો કન્ટ્રોલ જતો કરી રાજકીય આગેવાનોને ભ્રષ્ટાચારનો મોકો છોડવો નથી. આની સીધી અસર દેશની તિજોરી પર પડે છે. ખોટ કરતાં જાહેરક્ષેત્રનાં ૪૬ એકમો સરકારી તિજોરીમાં (અને દેશના કરદાતાઓના ખિસ્સામાં) વાર્ષિક રૂપિયા ૪૦,૬૫૦ કરોડનું ફાંકું પાડી રહ્યા છે. આ માતબર આંકડામાં જેનો સિંહફાળો છે તે એર ઇન્ડિયાની અહીં વાત કરીએ, જેણે ૨૦૧૧-૨૦૧૨ના વર્ષમાં રૂપિયા ૭,૮૫૩ કરોડનું જંગી નુકસાન કર્યું છે. (છેલ્લાં પાંચ વર્ષમાં એર ઇન્ડિયાએ કરેલું કુલ નુકસાન રૂપિયા ૨૮,૦૪૬ કરોડથી ઓછું નથી). આ સરકારી એકમના માથે આજે રૂપિયા ૪૦,૦૦૦ કરોડનું દેવું છે, જેને ભરપાઇ કરવું ખુદ તે એકમ માટે શક્ય નથી, કારણ કે વર્ષોથી તે ભારે ખોટમાં છે. આથી કેંદ્ર સરકારે તાજેતરમાં...

રાજકારણના ટોરપિડોનું ટારગેટ બનતું 'વિક્રાંત' જહાજ

Image
દેશની સુરક્ષા માટે લેવાતાં પગલાં બાબતે આપણા રાજકીય શાસકો બોલે તે કરતાં વધુ તો તેમનાં નસકોરાં બોલતાં હોય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં પેટ્રોલિયમની તથા નેચરલ ગેસની કાયદેસર શોધ ચલાવી રહેલાં આપણાં જહાજોની ચીનના નૌકાદળ દ્વારા થતી રંજાડ જોતાં તેમના રક્ષણ માટે ભારતે નૌકાકાફલો મોકલવો જોઇએ. આમ છતાં વડા પ્રધાને ગયે મહિને કમજોરીના પ્રદર્શન જેવી સ્પષ્ટતા કરી કે ભારત મધદરિયે ચીન જોડે ઘર્ષણમાં આવવા માગતું નથી. ઠંડીગાર વાસ્તવિકતા એ છે કે ચીન જોડે સંઘર્ષમાં આવવા જેટલી ભારતીય નૌકાદળમાં ત્રેવડ જ નથી. ડિફેન્સના ક્ષેત્રે બળપ્રદર્શન માટે કાયમી પ્રથા અનુસાર જે નૌકાકાફલો રચવો પડે તેમાં કેંદ્રસ્થાને હુકમના પત્તા જેવું સંખ્યાબંધ લડાયક વિમાનો ધરાવતું વિમાનવાહક જહાજ હોય છે. આજુબાજુ તથા આગળપાછળ સંરક્ષક ડિસ્ટ્રોયર તથા ફ્રિગેટ મનવારો હંકારે છે, જ્યારે સાગરસપાટી નીચે શસ્ત્રસજ્જ સબમરિનો કાફલા સાથે પ્રવાસ ખેડતી હોય છે. એન્ટિ-સબમરિન હેલિકોપ્ટરો પેટ્રોલિંગ માટે હવામાં તૈનાત રહે છે. કાફલાને બળતણનો પુરવઠો આપવા ટેન્કર જહાજો પણ સાથે હંકારે છે. રોજનો સરેરાશ ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખતા આવા પરિપૂર્ણ અને પ્રબળ નૌકાબે...

પાક જેલોમાં સબડતા ફૂટ્યાં કરમના ૫૪ ભારતીય સરફરોશો

Image
એક ચોંકાવનારો પ્રસંગ વર્ણવતા પહેલાં વર્ષ જણાવી દઇએ: ૧૯૭૯નું હતું. ‘સફારી’ના તંત્રી એ સમયે ‘ફ્લેશ’ નામનું સામયિક ચલાવતા હતા, જેનું સ્લોગન ‘માંડીને વાત કરતું મેગેઝિન’ એવું હતું--અને સાથે જ તેમાં દરેક ઘટનાત્મક વિષય અંગે ‘સફારી’ની જેમ વિગતવાર લેખો અપાતા હતા. સામયિકના ચાર ખબરપત્રીઓ દિલ્લી ખાતે હતા જેઓ અસલમાં તો ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્ટાફ રિપોર્ટર્સ હતા. એક ખબરપત્રીએ ૧૯૭૯માં તંત્રીની દિલ્લીની મુલાકાત દરમ્યાન જણાવ્યું : ‘આજે રાત્રે તમારો ભેટો દાણચોર સાથે કરાવવાનો છે.’ પ્રસ્તાવ નકારી કાઢવા જેવો હતો, કેમ કે લેખક-પત્રકારે દાણચોર સાથે અછડતી પણ લેવાદેવા રાખવાની હોય નહિ. આમ છતાં પોતાના આગ્રહને વળગી રહેલા ખબરપત્રીએ ફોડ પાડ્યો કે મામલો દાણચોરી અંગેનો ન હતો. કંઇક જુદી જ વાત હતી. રાત્રે ચાંદની ચોક નજીકની પેશાવરી લાલાની રેસ્ટોરન્ટમાં ૩ જણા ભોજનના બહાને મળ્યા. દેખાવે પડછંદ છતાં પહેરવેશે લઘરા જણાતા દાણચોરે પંજાબી લઢણવાળી હિંદીમાં કેટલીક નિરર્થક વાતો કર્યા બાદ પોતાનો જે સાચો અનુભવ વર્ણવ્યો તે આશ્ચર્યની તેમજ આઘાતની મિશ્રિત લાગણી જન્માવે તેવો હતો. આ રીઢો દાણચોર જેમાં વધુ બરકત જણાય...

૧૯૫૨-૨૦૧૨ : સાંઠ વર્ષમાં સંસદની ગતિ અને અવગતિ

Image
ભારતીય લોકશાહીના સરતાજ ગણાતી લોકસભાની પ્રથમ બેઠક મે ૧૩, ૧૯૫૨ના રોજ મળી તે બનાવને ગયે મહિને ૬૦ વર્ષ થયાં. આ ઐતિહાસિક સીમાચિહ્નની દબદબાપૂર્વક ઉજવણી માટે સંસદભવન ખાતે ૧૫મી લોકસભાના સાંસદો ભેગા મળ્યા ત્યારે એક ટ્રેજિક કોન્ટ્રાસ્ટ પેદા થયો, જે ૬૦ વર્ષમાં સંસદના મોભાનું કેટલી હદે અધઃપતન થયું તેનો ચિતાર આપતો હતો. કોન્ટ્રાસ્ટ એ વાતે કે સંસદ ભવનમાં મે ૧૩, ૨૦૧૨ના દિવસે જે ૫૫૨ મહાનુભાવો એકઠા થયા તેમાં ૧૬૨ સાંસદો એવા હતા કે જેમની સામે અદાલતોમાં કાનૂની ખટલા ચાલી રહ્યા છે. બીજા ૨૦ સંસદસભ્યો એવા કે જેમની સામે ખૂનનો કેસ દર્જ થયો છે. કુલ ૧૪ સભ્યો પર ખૂન કરાવવાના પ્રયાસ બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અગિયાર સાંસદો સામે ઠગાઇના, તો ૧૩ જણા સામે અપહરણના કેસ નોંધાયા છે. પ્રજાના ફુલટાઇમ સેવક ગણાતા ૩૦૦ જેટલા સંસદસભ્યો તો કરોડપતિ છે. નજીવા સમયગાળામાં કરોડોની સંપત્તિ તેમણે કેવી રીતે મેળવી એ તો કોણ જાણે! આની સામે હવે સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાનો દાખલો જુઓ. મે ૧૩, ૧૯૫૨ના દિવસે તે મળી ત્યારે તેના કુલ ૪૬૬ સભ્યો પૈકી ૧૭૭ સાંસદો એવા હતા કે જેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, ૭પ જણા વકીલાત ભણ્યા હતા,...

રાષ્‍ટ્રપતિના હોદ્દાની ગરિમાઃ ગઇ કાલ અને આજ

Image
આઝાદ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિનો મોભાદાર હોદ્દો સંભાળનાર અને સતત ૧૨ વર્ષ સુધી તે હોદ્દાનો મોભો તથા ગરિમા જાળવી રાખનાર ડો. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી તે ઐતિહાસિક બનાવને ચાલુ મહિને ૫૦ વર્ષ પૂરાં થાય છે.  રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો થયા પછી રુખસત લે એ પ્રસંગ આમ તો સામાન્ય ગણાય, પણ ડો. રાજેન્દ્ર પ્રસાદના (રાજેન્દ્રબાબુના) કેસમાં એ પ્રસંગ સામાન્ય ન હતો. કારણ કે રાજેન્દ્રબાબુ સાધારણ રાષ્ટ્રપતિ ન હતા. જાન્યુઆરી ૧૯૫૦થી મે, ૧૯૬૨ સુધી દિલ્હીના મહેલાત જેવા રાષ્ટ્રપતિ ભવનમાં રાજેન્દ્રબાબુ અત્યંત સાદગીથી રહ્યા. સરકારે તેમનો નિભાવખર્ચ ઓછામાં ઓછો વેઠવાનો થાય તેનું હંમેશાં તેમણે ધ્યાન રાખ્યું, કેમ કે રાષ્ટ્રપતિ પાછળ સરકાર જે ખર્ચ કરે તે આખરે તો પ્રજાએ કરવેરારૂપે ચૂકવેલા નાણાંમાંથી ભરપાઇ કરાતો હતો. દેશની જનતા પર આર્થિક બોજો લાદવામાં નિમિત્ત બનવા ન માગતા રાજેન્દ્રબાબુની ખાનદાની એટલી કે રાષ્ટ્રપતિ તરીકે મળતા રૂ.૧૦,૦૦૦ના માસિક પગારની ફક્ત ૧૦% રકમ સ્વીકારી બાકીનો ૯૦% હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવી દેતા. આ રીતે કુલ ૧૪૭ મહિના રાષ્ટ્રપતિના હોદ્દે રહીને રાજેન્દ્...

પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ

Image
પચ્ચીસેક વર્ષની એકધારી તપશ્ચર્યાના અંતે ભારતીય નિષ્ણાતોએ તૈયાર કરેલું વિમાનવિરોધી ‘આકાશ’ મિસાઇલ ગયે મહિને આપણી વાયુસેનામાં તેમજ ખુશ્કીદળમાં સામેલ કરવામાં આવ્યું. આ બનાવે સંરક્ષણ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતીય ઇજનેરોની કોઠાસૂઝ, આવડત અને ક્ષમતા તરફ આખા જગતનું ધ્યાન ખેંચ્યું, કેમ કે ભૂમિ પરથી દાગી શકાતાં જગતનાં સૌ વિમાનવિરોધી મિસાઇલોની તુલનાએ આપણું ‘આકાશ’ ઘણી રીતે ચડિયાતું છે. વળી અન્ય મિસાઇલો કરતાં કિંમતમાં ૧૦ ગણું સોંઘું છે. પરિણામે મલયેશિયા જેવા અમુક દેશોએ ‘આકાશ’ મિસાઇલની ખરીદીમાં ઊંડો રસ દાખવ્યો છે. Akash Missile Launcher આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે. ‘આકાશ’ મિસાઇલની માફક એન્ટિટેન્ક ‘નાગ’ મિસાઇલ, સરફેસ-ટુ-સરફેસ ‘પૃથ્વી’ તેમજ ‘અગ્નિ’ વગેરે જેવાં સ્વદેશી મિસાઇલોનો પણ આજે જગતમાં જોટો નથી. ‘તેજસ’ જેવું લડાકુ વિમાન તો આજ દિન સુધી કોઇ દેશ બનાવી શક્યો નથી, જ્યારે મઝગાંવ ગોદીમાં બનેલી ‘દિલ્હી’, ‘મુંબઇ’ અને ‘મૈસૂર’ જેવી વિનાશિકાઓ તથા ‘શિવાલિક’ વર્ગની સ્...