Posts

સ‌િત્તેર વર્ષ પહેલાં વ‌િશ્વયુદ્ધમાં હારેલા જાપાને વ‌િશ્વબજારને શી રીતે જીત્યું ?

Image
તારીખ ૧૬મી ઓગસ્ટ હતી અને વર્ષ ૧૯૪૫નું હતું. દિવસ જે હોય તે ખરો, પણ જાપાનના ભવિષ્ય માટે તે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાનો હતો. બપોરના સમયે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના એક જર્જરિત મકાનમાં ભેગા મળ્યા. મીટિંગનો અજેન્ડા સ્પષ્ટ હતો ઃ આર્થિક રીતે ભાંગી પડેલા જાપાનના અર્થતંત્રને ફરી બેઠું કેમ કરવું ? સપ્ટેમ્બર, ૧૯૩૯થી શરૂ કરીને ઓગસ્ટ, ૧૯૪પ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રરાષ્ટ્રોના ભીષણ અને ભસ્માસુર બોમ્બમારાએ જાપાનને મોટા ભંગારવાડામાં પલટી નાખ્યું હતું. યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નષ્ટ પામી હતી. અડધોઅડધ ઔદ્યોગિક એકમોનું હવે અસ્તિત્વ રહ્યું ન હતું. બોમ્બવર્ષાએ તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જ્યારે હિરોશીમા અને નાગાસાકી સમેત કુલ ૬૭ જાપાની શહેરોનો તો વધુઓછે અંશે સફાયો કરી દીધો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લાખો જણા પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો ત...

'સફારી' : જ્ઞાનવ‌િજ્ઞાનના ન‌િઃસ્‍વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ

Image
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીન...

જંક ફૂડ : ખોરાક ભેગું ખવાતું કેમ‌િકલ્સનું સ્લો પોઇઝન

Image
અમેરિકી પ્રમુખના નેજા હેઠળ જેનું ગઠન કરવામાં આવ્યું છે તે US President's Cancer Panel નામની સરકારી સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાની વર્તમાન વસ્તીના ૪૧% લોકો ભવિષ્યમાં કેન્સરનો ભોગ બને તેવી સંભાવના છે. જુદી રીતે કહો તો અમેરિકાના દર બે પૈકી એક પુરુષ અને દર ત્રણ પૈકી એક મહિલા આગામી વર્ષોમાં કેન્સરનો શિકાર બને તેમ છે. આ સંભવિત સ્થિતિ બદલ Cancer Panel સંસ્થાએ રસાયણોના બેફામ ઉપયોગને દોષિત ઠરાવ્યો છે. પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાં વિવિધ જાતનાં કેમિકલ્સનો અમેરિકામાં છૂટે હાથે વપરાશ થાય છે. આમાં કેટલાંક કેમિકલ્સ એવાં છે કે જે શરીરમાં mutation / ગુણવિકાર વડે જિનેટિક બ્લૂપ્રિન્ટમાં ફેરફાર આણી છેવટે કેન્સરને તેડું આપે છે. અમેરિકાની બહુધા પ્રજા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પર નભે છે, એટલે કેન્સર પેનલે વ્યક્ત કરેલા સંશય મુજબ એ દેશને ભવિષ્યમાં કેન્સરનો ભરડો દેવાય તો નવાઇ નહિ. કેન્સરનો શેષનાગ તો ભારતના માથે પણ ફેણ ચડાવી રહ્યો હોય એમ લાગે છે. એક ઉદાહરણઃ પંજાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હમણાં તેના ૫૨૫ પાનાંના રિપોર્ટમાં જણાવ્યું કે ફાસ્ટફૂડમાં અને રેડીમેડ પ્રોસેસ્ડ ફૂડમાં ...

પ્રથમ ‌વિશ્વયુદ્ધમાં મરી ફીટેલા ભારતીય સૈન‌િકો : શૂરવીર ખરા, શહીદ નહ‌િ

Image
પ્રથમ ‌વિશ્વયુદ્ધમાં  યુરોપના અને મેસોપોટેમિયાના મોરચે ભારતના લાખો સૈ‌ન‌િકો બ્ર‌િટન વતી લડ્યા, જે પૈકી  કુલ ૭૪,૧૮૭ સૈનિકોએ તેમના જાન ગુમાવ્યા. આ શૂરવીરો તેમના અપ્રતીમ સાહસ બદલ અમર બન્યા, પણ ખરું જોતાં તેમણે માતૃભૂમિને બદલે ભારતના બ્રિટિશરાજ માટે બલિદાન આપ્યું હતું. આ મૂળભૂત વાસ્તવિકતા ધ્યાનમાં લો તો સહેજે સવાલ થાય કે તેમને શહીદ માનવાનું યોગ્ય ખરું ? પ્રશ્ન વિચાર માગી લે તેવો છે. જવાબ આપતા પહેલાં (જવાબ તરફ દોરી જતો) રોચક કિસ્સો જરા તાજો કરીએ. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ડિસેમ્બરમાં લડાયું તેના ઘણા મહિના અગાઉ પંજાબી, બલુચી અને પઠાણ મુસ્લિમોના પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળી મુસ્લિમોના પૂર્વ પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ જામવા માંડ્યો હતો. ઓગસ્ટ, ૧૯૭૧માં પાકિસ્તાન એર ફોર્સનો મુતિઉર રહેમાન નામનો બંગાળી ફ્લાઇટ લેફ્ટનન્ટ કરાંચી એરબેઝ પર ફરજ બજાવતો હતો. કરાંચીથી વેળાસર છટકીને તે પૂર્વ પાકિસ્તાન (બાંગલા દેશ) જતો રહે એમાં જ તેની સલામતી હતી. એક દિવસ તેણે એરફોર્સનું ટુ-સીટર તાલીમી પ્લેન હાઇજેક કર્યું. સરહદ ઓળંગીને ભારતના આકાશી ક્ષેત્રમાં પ્રવેશી જવાય, એટલે પછી ચિંતા નહિ. વિમાનની કોકપિટમાં ફ્લાઇટ લ...

નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ

Image
નેપાળમાં ગયે મહિને આવેલા ધરતીકંપે જાન-માલનું પુષ્કળ નુકસાન કર્યું અને ખુવારીના આંકડા પ્રમાણે જોતાં તે અભૂતપૂર્વ સાબિત થયો તેમાં ભૂકંપના તીવ્રતાસૂચક ૭.૯ રિક્ટરના આંકડાને માત્ર નિમિત્ત ગણતા હોવ તો એક મહત્ત્વનો ભેદ પહેલાં સમજી લો. રિક્ટરના સ્કેલનો આંકડો તેમજ ખુવારીનો આંકડો બન્ને જુદી બાબતો છે. રિક્ટરનો સ્કેલ ઊંચો તેમ ખુવારી પણ વધારે એ વાત પ્રાથમિક રીતે સાચી, પરંતુ તેમની વચ્ચે સીધા અનુપાતનો સંબંધ હોવો જરૂરી નથી. ગીચ વસ્તીમાં અને કાચાં મકાનોવાળા પ્રદેશમાં સહેજ નબળો ધરતીકંપ પણ વધુ ખુવારી સર્જે છે, જ્યારે સહરાના રેગિસ્તાનમાં કે દક્ષિણ ધ્રુવ ખંડના બર્ફસ્તાનમાં ૮ કરતાં વધુ રિક્ટરનો ભૂકંપ પણ ઓછું નુકસાન કરે તે શક્ય છે. નેપાળમાં ફેલાયેલા આતંકનું મુખ્ય કારણ એ છે કે ઘણાંખરાં મકાનોનું બાંધકામ કચાશભર્યું હતું. અનેક મકાનો બેડોળ પથ્થરોનાં અને પથ્થરો વચ્ચે પૂરેલી માટીનાં બનેલાં હતાં. પથ્થરો વચ્ચે મજબૂત ‘બાઇન્ડિંગ મટીરિઅલ’ ન હતું. ઊંડો પાયો નાખવામાં આવ્યો ન હતો. છાપરાં પ્રમાણમાં વજનદાર હતાં. આ સ્થિતિમાં એક પથ્થર બીજા પથ્થર સાથે કસોકસ ફિટ બેસતો ન હોય ત્યારે આડી લીટીમાં (હોરિઝોન્ટલ) આંચકો લાગ્યા પછી દીવા...

Comfort Zone : સાહસ અને સર્જનાત્મકતા જેમાં નજરકેદ છે

Image
અબુ ધાબી શહેરથી જગતના રાઉન્ડ-ધ-વર્લ્ડ પ્રવાસ માટે નીકળેલું SolarImpulse નામનું વિમાન ગયે મહિને અમદાવાદ ‘પગથોભ’ માટે ઊતર્યું ત્યારે તેને નજીકથી જોવાનો તેમજ તેના પાયલટો સાથે વાર્તાલાપ કરવાનો લહાવો ‘સફારી’ની ટીમને મળ્યો. પરંપરાગત વિમાન કરતાં SolarImpulse વિશેષ હતું, કેમ કે કોઇ પણ પ્રકારના બળતણ વિના તે માત્ર સૌરશક્તિથી ઊડતું હતું. ‘સફારી’ના મતે જો કે વિમાનની તે એકમાત્ર વિશેષતા ન હતી. આ સૌરપ્લેનને અસાધારણ બનાવતું બીજું પણ કારણ હતું : પ્લેનનો દોરીસંચાર બર્ટનાર્ડ પિકાર્ડ નામના સાહસિક પાયલટે સંભાળ્યો હતો, જે પોતે વળી સાધારણ વ્યક્તિ નથી. બાપ તેવા બેટા એ કહેવતને પિકાર્ડ પરિવાર માટે જરા લંબાવીને એમ કહેવી પડે કે બાપ તેવા બેટા અને તેવા જ બેટાના પણ બેટા ! પહેલી વખત પૃથ્વીના ઉર્ધ્વમંડળનો (૨૩,૦૦૦ મીટર / ૭૫,૪૫૯ ફીટ ઊંચેનો) પ્રવાસ બર્ટનાર્ડના દાદા ઓગસ્ટ પિકાર્ડે ૧૯૩૨ની સાલમાં ખેડીને રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષો પછી જાન્યુઆરી, ૧૯૬૦માં ઓગસ્ટ પિકાર્ડનો પરાક્રમી પુત્ર જાકી પિકાર્ડ (તેના પિતાએ તૈયાર કરેલા) બેથિસ્કાફ કહેવાતા સબમર્સાઇલ વાહનમાં જગતના સૌથી ઊંડા (૧૦,૯૧૧ મીટર / ૩૫,૪૯૭ ફીટ) સમુદ્રી તળિયે પહોંચ્યો...

અંગ્રેજ નરાધમોનાં નામે અોળખાતા અાંદામાનના ટાપુઅોનું 'અાઝાદીકરણ' ક્યારે ?

Image
જ્ઞાન-વિજ્ઞાનની સાડા ત્રણ દાયકા લાંબી સફરમાં ૨૫૦મા અંકના સીમાચિહ્ને પહોંચેલો ‘સફારી’નો પ્રસ્તુત અંક બે કારણોસર વિશેષ છે. (૧) ચાલુ અંકથી ‘સફારી’એ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. અંકના લેઆઉટ્સ તેમજ ગ્રાફિક્સ ધરમૂળથી બદલાયાં છે. (૨) અઢીસોમા અંકને વિશેષ અને વજનદાર બનાવતું બીજું કારણ ‘એક વખત એવું બન્યું...’ વિભાગ છે. આંદામાનમાં સેલ્યુલર જેલ નામના દોજખમાં કાળાપાણી કહેવાતી સજા પામેલા ભારતીય ક્રાંતિવીરોની આપવીતી નગેન્દ્ર વિજયે ‘એક વખત એવું બન્યું...’માં વિસ્તારથી વર્ણવી છે. આઝાદીની લડતમાં હીરો બનીને ઊભરી આવેલાં વિરાટ પ્રતિભાનાં નામો વચ્ચે એવા સેંકડો ક્રાંતિવીરોનાં નામો ખોવાઇ ગયાં કે જેમણે અનેક શારીરિક તેમજ માનસિક યાતનાઓ વેઠીને આઝાદીની લડત લડી અને છેવટે આંદામાનની સેલ્યુલર જેલમાં મોતથી પણ બદતર એવું જીવન વીતાવ્યું. આ કથા એ ભૂલાયેલા (તેમજ ભૂલાવી દેવાયેલા) સપૂતોની છે. ઇતિહાસકારોએ તેમને યોગ્ય રીતે શાબ્દિક સન્માન ન આપ્યું, આપણાં પાઠ્યપુસ્તકોએ તેમને સ્થાન ન આપ્યું અને રાજકારણીઓએ તેમની ભારોભાર અવહેલના કરી. આ અક્ષમ્ય ગણી શકાય તેવો અપરાધ છે. અંગ્રેજો પૂરતી વાત કરો તો આંદામાનના કાળાપાણીની સેલ્યુલર જેલ ત...