Posts

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?

Image
'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.' દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખે...

ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્‍વર્ગની સીડી' બની જશે ?

Image
રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે. આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C 22 H 38 O 5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યા...

ચંદ્રકળા -- ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧

Image
ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧ની મોડી સાંજે પૂર્વના આકાશમાં જે અદભૂત સ્‍કાય-શો જોવા મળ્યો તેની કેમેરામાં ઝડપાયેલી પળો-- નોંધઃ આ તસવીરો અંગ્રેજી 'સફારી'ના જાન્‍યુઆરી ૨૦૧૨ના અંકમાં 'મેગાપિક્સેલ' વિભાગ હેઠળ પ્રગટ કરી છે.

ટેલિવિઝન ન્‍યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ

Image
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’ બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’ આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna! રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો. આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર ક...

ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

Image
પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.   આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગા...

ગરીબીનાબૂદીના શોર્ટ-કટ જેવી ગરીબીરેખાની નવી વ્યાખ્યા

Image
અર્થતંત્રના આંકડાઓની વિશ્વસનીયતા માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે: Lies, damn lies and statistics ! ગુજરાતીમાં તેનો સરળ તરજુમો કરવો હોય તો કંઇક આવો થાય: જુઠ્ઠાણું, હળાહળ જુઠ્ઠાણું અને એનાથી પણ વધુ જુઠ્ઠાણું એટલે અર્થતંત્રના આંકડા !  આ ઉક્તિને સાચી ઠરાવતો એક તાજો દાખલો દિલ્હીની સરકારે ગયે મહિને ‘ગરીબી’ શબ્દની નવી વ્યાખ્યા બાંધીને બેસાડ્યો. વ્યાખ્યા મુજબ શહેરી વિસ્તારમાં રોજના Rs.૩૨ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના Rs.૨૬ કે તેથી વધુ ખર્ચ કરનારી વ્યક્તિને ગરીબ કહી શકાય નહિ. પરિણામે એવી વ્યક્તિને સરકાર તરફથી Below Poverty Line/BPL યોજનાઓ હેઠળ અપાતા લાભો મળી શકે નહિ.  આ વ્યાખ્યાએ ભારતીય અર્થતંત્રના આંકડાઓને કેવી રીતે બદલી નાખ્યા તે સમજવા જેવું છે. આપણે ત્યાં ‘ગરીબ’ શબ્દને લગતી વ્યાખ્યા હંમેશાં વિવાદાસ્પદ રહી છે. લગભગ ૬૫ વર્ષ પહેલાં એમ નક્કી થયું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજનો અનુક્રમે ૨,૧૦૦ કેલરીથી અને ૨,૪૦૦ કેલરીથી ઓછો ખોરાક પામતા હોય તેમને ગરીબ તરીકે વર્ગીકૃત કરવા જોઇએ. આવી સંકુચિત વ્યાખ્યાને હાસ્યાસ્પદ ગણવી રહી, કેમ કે પર્યાપ્ત કેલરી મેળવતી વ્યક્તિ પાસે સાબુ, કેરોસ...

અન્નાનું ભ્રષ્‍ટાચાર વિરોધી આંદોલન આટલું ગાજ્યું કેમ?

Image
ભ્રષ્ટાચારને અંકૂશમાં રાખવા ખાતર છેક ૧૯૬૮માં જેની રચના કરાઇ હતી તે લોકપાલ બિલે ગયે મહિને ફરી વખત ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો. અગાઉ ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવેક વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ પામ્યું અને દરેક વખતે સાંસદોએ તેને ઠુકરાવી પોતાની અમર્યાદ સત્તાનો વિશિષ્ટાધિકાર ભોગવ્યો. ૨૦૧૧માં એ ઘટનાનું વધુ એક વખત પુનરાવર્તન થયું. આ વખતે જો કે સ્થિતિ જુદી હતી. ભૂતકાળમાં વારંવાર ઊઠેલા અને થોડા જ વખતમાં શમી ગયેલા લોકપાલ બિલના મુદ્દાએ ગયે મહિને ‘ક્રાંતિ’ની જ્વાળા ચેતાવ્યા પછી તેણે જલદી બૂઝવાનું નામ ન લીધું. ઊલટું, દિવસોદિવસ તે વધુ ને વધુ તેજ થતી રહીને છેવટે દાવાનળની માફક દેશ આખામાં ફેલાઇ. આમ કેમ બન્યું ? એવું તે શું પરિવર્તન એકાએક આવ્યું જેણે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને દેશમાં જ નહિ, પરદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બનાવ્યો ? જવાબનું મૂળ તપાસવું હોય તો ભારતના રાજકારણમાં નહિ, પણ અર્થશાસ્ત્રમાં થોડુંક ઉત્ખનન કરવું જોઇએ. નહિ, ઇકોનોમિક્સના અટપટાં સિદ્ધાંતો અને વાયડાં સમીકરણો સાથે બાથ ભીડવાની અહીં વાત નથી. મુદ્દો અલગ છે એટલું જ નહિ, પણ જરા વિચારપ્રેર...